વાતચીતમાં રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ જણાવ્યું હતું કે શા માટે તે છેલ્લા કેટલાક મહિનાઓથી શોમાંથી ગાયબ છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર કામનું વાતાવરણ કેવું છે.
પ્રિયા આહુજાએ પણ નિર્માતા અસિત મોદી પર આરોપો લગાવ્યા
માલવ રાજદા સાથે લગ્ન પછી અસિત મોદી અને ટીમનું વર્તન બદલાઈ ગયું
ટીવીનો ફેમસ કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેની પાછળનું કારણ છે અભિનેત્રી જેનિફર મિસ્ત્રીના લગાવેલ આરોપો. જણાવી દઈએ કે જેનિફર શોમાંથી બહાર થયા બાદ હવે શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી અભિનેત્રી પ્રિયા આહુજાએ પણ નિર્માતા અસિત મોદી પર આરોપો લગાવ્યા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયાએ જણાવ્યું કે ડાયરેક્ટર માલવ રાજદા સાથે તેના લગ્ન પછી અસિત મોદી અને ટીમનું વર્તન તેના પ્રત્યે બદલાઈ ગયું હતું. આ સાથે પ્રિયાએ એ પણ જણાવ્યું કે શોમાં તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેની સાથે તેને માનસિક ઉત્પીડનમાંથી પણ પસાર થવું પડ્યું હતું.
'રીટા રિપોર્ટર' એ અસિત મોદી વિશે કહી આ વાત
એક વાતચીતમાં પ્રિયા આહુજાએ જણાવ્યું હતું કે શા માટે તે છેલ્લા કેટલાક મહિનાઓથી શોમાંથી ગાયબ છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર કામનું વાતાવરણ કેવું છે. એટલું જ નહીં, તેણે જેનિફર મિસ્ત્રી, શૈલેષ લોઢા અને મોનિકા ભદોરિયાના નિવેદનો પર પણ પ્રતિક્રિયા આપી છે.
'TMKOC કલાકારો માનસિક શોષણનો શિકાર છે'
પ્રિયા આહુજાઆ વિશે વાત કરતાં કહ્યું કે" જ્યારે કલાકારો તારક મહેતા પર કામ કરે છે... તેઓ માનસિક શોષણનો ભોગ બને છે. મેં ત્યાં ઘણી માનસિક સમસ્યાઓનો પણ સામનો કર્યો છે પણ તેની મને બહુ અસર થઈ નહીં. કદાચ માલવ રાજદાને કારણે કારણ કે તે મારા પતિ છે જે 14 વર્ષથી શોનું નિર્દેશન કરી રહ્યા હતા. મને ત્યાં કામ કરવાનો આ એકમાત્ર ફાયદો હતો કે મારી પાસે કોઈ કરાર નહોતો. મને ક્યારેય બહાર કામ કરતા અટકાવવામાં આવી નહતી.'
'અસિત, સોહિલ અને જતીન મારા ભાઈઓ જેવા છે પણ..'
રીટા રિપોર્ટરે કહ્યું, 'આસિત કુમાર મોદી ભાઈ, સોહિલ રહેમાની અને જતીન બજાજે મારા ભાઈઓ જેવા છે, તેમણે ક્યારેય મારી સાથે ગેરવર્તણૂક નથી કર્યું પણ જ્યાં સુધી કામની વાત છે તો મારી સાથે અન્યાય થયો છે. માલવ સાથેના લગ્ન પછી તે લોકો મારાથી દૂર થઈ ગયા અને હવે પહેલા જએવા નથી. પ્રેગ્નન્સી પછી મને મારા ટ્રેક વિશે કંઈ ખબર નહોતી.' પ્રિયાએ વધુમાં ઉમેર્યું, 'જ્યારે માલવે શો છોડી દીધો, ત્યારે મેં આસિતભાઈને ઘણી વાર મેસેજ કર્યો કે શોમાં મારો ટ્રેક શું છે પણ તેમણે જવાબ આપ્યો નહીં. સાથે જ ઘણી વખત તે કોમેન્ટ કરતાં કે અરે તમારે કામ કરવાની શી જરૂર છે, માલવ કામ કરે છે ને? તમે તમારું જીવન રાણીની જેમ જીવો. માલવ સાથે લગ્ન કરતા પહેલા હું આ શોનો હિસ્સો હતી અને મને ક્યારેય યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. માલવ શૂટિંગ કરી રહ્યો હતો અને હું થોડું કામ પણ કરી રહી હતી તેથી મને આર્થિક અસર થઈ ન હતી અને તેલ માટે જ મેં ક્યારેય આ વિશે બોલવાની તસ્દી લીધી નહતી.'
અસિત મોદીએ કોલ-મેસેજનો જવાબ પણ ન આપ્યો
પ્રિયા આહુજાએ જણાવ્યું કે, 'મને ખરાબ લાગે છે કે જ્યારથી માલવે શો છોડ્યો ત્યારથી તેણે મારા મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે. તેણે 6 મહિનાથી શો છોડી દીધો છે અને એ બાદથી મને શૂટિંગ માટે બોલાવવામાં આવી નથી. એક કલાકાર હોવાના કારણે મને આ અયોગ્ય લાગે છે.
'અસિત મોદીએ મને 6 મહિના સુધી લટકાવી રાખી'
આગળ તેને જણાવ્યું કે 'મેં સોહિલને ફોન કર્યો અને અસિતજીને મારા ટ્રેક વિશે પૂછવા માટે વિનંતી કરી, મેં અસિતને મેસેજ પણ કર્યો કે હું હજુ પણ શોનો ભાગ છું કે નહીં પણ મને બંને તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જો હું આ શોનો ભાગ નથી તો તમે મને કહો. હું આ શોમાં પાછા આવવા માટે મરી નથી રહી પણ માલવે શો છોડ્યો એ કારણે તમને મને નથી બોલાવતા એ ખોટું છે. છેલ્લા 6-8 વર્ષથી જે વલણ રહ્યું છે, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે તે મને હવે ફોન નહીં કરે. તેઓએ મને ફક્ત લટકાવી રહ્યા છે.'
પ્રિયા આહુજાએ જેનિફર મિસ્ત્રી વિશે વાત કરી
પ્રિયા આહુજાએ જેનિફર મિસ્ત્રીના વખાણ કર્યા હતા. જણાવ્યું કે તે કેવી રીતે સેટ પર બધાનું ધ્યાન રાખતી હતી. તેણી દરેક માટે ઊભી થઈ. પ્રિયાએ વધુમાં કહ્યું કે તે જાણતી નથી કે જેનિફર સાથે જાતીય સતામણી થઈ છે કે નહીં કારણ કે તે સમયે તે સિંગાપોરમાં હાજર ન હતી. પ્રિયા આહુજાએ કહ્યું કે મોનિકા ભદોરિયા અને અન્ય જેઓ અસિત મોદી વિરુદ્ધ બોલી રહ્યા છે તે ખોટું નથી.