રાહુલ ગાંધી સામે ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ કેસને બહાર લાવનાર ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોટો દાવો કર્યો છે.
સુબ્રમણ્યમ સ્વામીનો દાવો સાચો પડ્યો
કહ્યું હતું એક દિવસ રાહુલ-સોનિયા ગાંધીની પૂછપરછ થશે
સ્વામી નેશનલ હેરાલ્ડ કેસ બહાર લાવી ચૂક્યા છે
રાહુલ ગાંધીની ઈડીની પૂછપરછનો મામલો
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું
રાહુલ ગાંધીએ સાચું બોલી દેવાની જરુર હતી
ગાંધી પરિવારને જેલ જતા કોઈ નહીં રોકી શકે
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની એક આગાહી સાચી પડી છે. રાહુલ ગાંધી અને ગાંધી પરિવારની સામે જે કેસમાં ઈડીની કાર્યવાહી ચાલી રહી છે તે કેસ નેશનલ હેરાલ્ડ કેસને બહાર લાવનાર સ્વામીએ એક દિવસ કહ્યું હતું કે એક દિવસ રાહુલ અને સોનિયા ગાંધીની પૂછપરછ થશે અને હવે તેમનો આ દાવો સાચો પડ્યો છે. સ્વામીનું કહેવું છે કે ધરપકડ બાદ રાહુલ ગાંધીની ધરપકડ થશે.
રાહુલ ગાંધીએ સાચું બોલવાની જરુર હતી
હાલમાં નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ ચાલી રહી છે. આ મુદ્દે ભાજપના નેતાઓના નિવેદન આવી રહ્યાં છે. હવે ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ મુદ્દે બોલતા કહ્યું કે રાહુલ ગાંધીએ સાચું કહી દેવાની જરુર હતી તેમણે સાચું કહ્યું હોત તો આટલી લાંબા પૂછપરછની જરુર ન પડેત.
ગાંધી પરિવારને જેલ જતા કોઈ નહીં રોકી શકે
સ્વામીએ કહ્યું કે વાત સ્પષ્ટ છે કે કાળાનાણાંને સફેદ કરવાની રમત હતી. તે વર્ષોથી જે આરોપ લગાવી રહ્યો છે તે હવે તેની સામે છે. જે રીતે પી ચિદમ્બરમને 106 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. કાયદા દ્વારા ન્યાયિક તપાસ થવી જોઈએ. સ્વામીએ કહ્યું કે, જો તે સાચું બોલે છે તો તેને એક કબૂલાત માનવામાં આવશે. તેમનું સ્પષ્ટ માનવું છે કે ગાંધી પરિવારને જેલમાં જતા કોઇ રોકી શકે નહીં. જે પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમાં તેમને ચોક્કસપણે આકરી સજા મળશે.
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા આકરી પૂછપરછ થઈ રહી છે. તેમની સામે નેશનલ હેરાલ્ડની સંપત્તિઓ હડપ કરી જવાનો આરોપ છે. ઈડી તેમની સામે મની લોન્ડરિંગના આરોપસર તપાસ ચલાવી રહી છે.