ન્યૂઝીલેન્ડ સામે નાલેશીભરી હાર બાદ ભારત T-20 વર્લ્ડ કપ -2021માંથી લગભગ બહાર. સોશિયલ મીડિયા પર ગુસ્સો ઉતારતા ક્રિકેટ લવર્સ.
ન્યૂઝીલેન્ડ સામે ભારતનું શર્મનાક પ્રદર્શન
ભારતીય ક્રિકેટના દુબઈમાં સૂરસૂરિયા
સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો
ન્યૂઝીલેન્ડ સામે T-20 વર્લ્ડ કપ -2021નાં બેહદ મહત્વના મેચમાં વિશ્વમાં જેમની ધાક છે તેવા ભારતીય ક્રિકેટર અને ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી,ઉપ કપ્તાન રોહિત શર્મા શરમજનક રીતે નિષ્ફળ નીવડ્યા. વિરાટ કોહલી જે 17 બોલમાં એક પણ રન ના બનાવી શક્યો તો રોહિત શર્મા 14 બોલમાં માત્ર 14 રન કરી પેવિલિયન ભેગો થઈ ગયો. ત્યારબાદ તો સોશિયલ મીડિયામાં લોકોનો ગુસ્સો ફૂટવા લાગ્યો.જ્યાં કેટલાક લોકો તેમને આગળની મેચમાં ડ્રોપ કરવાનું કહે છે તો કેટલાક કહે છે કે, BCCIએ હવે આ ક્રિકેટરોથી આગળ વિચારવાની જરૂર છે.તેવી પણ સલાહ આપી.