બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / હોળી બાદ શનિ-મંગળ આ 3 રાશિઓ પર થશે મહેરબાન! બનવા જઇ રહ્યો છે નવપંચમ રાજયોગ

જ્યોતિષ શાસ્ત્ર / હોળી બાદ શનિ-મંગળ આ 3 રાશિઓ પર થશે મહેરબાન! બનવા જઇ રહ્યો છે નવપંચમ રાજયોગ

Last Updated: 12:50 PM, 15 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળી બાદ અમુક રાશિના જાતકોનું નસીબ ચમકી જવાનું છે. કેમ કે, મંગળ અને શનિ મળીને નવપંચમ રાજયોગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આવો જાણીએ તે રાશિ વિશે જેમને આ રાજયોગથી શુભ ફળની પ્રાપ્તિ થવાની છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે તે મંગળ અને કર્મ ફળદાતા શનિને સૌથી શક્તિશાળી ગ્રહોમાંના એક માનવામાં આવે છે. 2025નું વર્ષ મંગળ ગ્રહનું છે અને આ વર્ષે શનિ પણ પોતાની રાશિ બદલવાના છે. હોળી બાદ  5 એપ્રિલ 2025ના રોજ મંગળ-શનિ દ્વારા નવપંચમ રાજયોગનું નિર્માણ કરશે. બુધવાર 5 એપ્રિલે સવારે 6.31 વાગ્યે મંગળ અને શનિ એકબીજાથી 120 ડિગ્રી પર સ્થિત હશે, જેના કારણે નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. જેની અસર 12 રાશિઓ પર શુભ અને અશુભ પડશે. ચાલો જાણીએ તે 3 રાશિઓ વિશે જેમના માટે નવપંચમ રાજયોગ ભાગ્યશાળી સાબીત થવાની છે.

  • વૃષભ

આ રાશિના લોકો માટે નવપંચમ રાજયોગ ફળદાયી રહેવાનો છે. જે કાર્યો તમે લાંબા સમયથી પૂરા નથી કરી શક્યા તે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તમે સફળતા પણ પ્રાપ્ત કરશો. સંપત્તિમાં વધારો થશે. ઘરના દરેક સભ્યોનો સહયોગ મળશે. તમારા જીવનસાથી તમારા લક્ષ્યો સુધી પહોંચવામાં તમને મદદ કરી શકે છે. વેપારીઓને પ્રગતિની તકો મળશે.

  • સિંહ

સિંહ રાશિના લોકો માટે સમય સારો રહેવાનો છે. આ રાશિના લોકોના જીવનમાં નવા બદલાવ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. જીવનસાથીનો સાથે મળશે. વ્યવસાયમાં પ્રગતિ થશે, નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. જીવનમાં સકારાત્મક પરિવર્તનની આશા છે. શનિ અને મંગળ બંને ગ્રહોના વિશેષ આશીર્વાદ મળી શકે છે.

વધુ વાંચો : આ મહાશિવરાત્રિએ 60 વર્ષ બાદ બનવા જઇ રહ્યો છે આ દુર્લભ સંયોગ, ઘરે વસાવી લો આ ચીજવસ્તુઓ, થશે લાભ

  • મીન
    આ રાશિના લોકો માટે મંગળ અને શનિનો નવપંચમ રાજયોગ ફાયદાકારક રહેવાનો છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી શકે છે, જ્યારે મહેનતથી કારકિર્દીમાં સફળતા મળશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajyoga Shani Dev Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ