બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:50 PM, 15 February 2025
જ્યોતિષ શાસ્ત્રમાં જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે તે મંગળ અને કર્મ ફળદાતા શનિને સૌથી શક્તિશાળી ગ્રહોમાંના એક માનવામાં આવે છે. 2025નું વર્ષ મંગળ ગ્રહનું છે અને આ વર્ષે શનિ પણ પોતાની રાશિ બદલવાના છે. હોળી બાદ 5 એપ્રિલ 2025ના રોજ મંગળ-શનિ દ્વારા નવપંચમ રાજયોગનું નિર્માણ કરશે. બુધવાર 5 એપ્રિલે સવારે 6.31 વાગ્યે મંગળ અને શનિ એકબીજાથી 120 ડિગ્રી પર સ્થિત હશે, જેના કારણે નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. જેની અસર 12 રાશિઓ પર શુભ અને અશુભ પડશે. ચાલો જાણીએ તે 3 રાશિઓ વિશે જેમના માટે નવપંચમ રાજયોગ ભાગ્યશાળી સાબીત થવાની છે.
ADVERTISEMENT
આ રાશિના લોકો માટે નવપંચમ રાજયોગ ફળદાયી રહેવાનો છે. જે કાર્યો તમે લાંબા સમયથી પૂરા નથી કરી શક્યા તે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તમે સફળતા પણ પ્રાપ્ત કરશો. સંપત્તિમાં વધારો થશે. ઘરના દરેક સભ્યોનો સહયોગ મળશે. તમારા જીવનસાથી તમારા લક્ષ્યો સુધી પહોંચવામાં તમને મદદ કરી શકે છે. વેપારીઓને પ્રગતિની તકો મળશે.
ADVERTISEMENT
સિંહ રાશિના લોકો માટે સમય સારો રહેવાનો છે. આ રાશિના લોકોના જીવનમાં નવા બદલાવ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. જીવનસાથીનો સાથે મળશે. વ્યવસાયમાં પ્રગતિ થશે, નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. જીવનમાં સકારાત્મક પરિવર્તનની આશા છે. શનિ અને મંગળ બંને ગ્રહોના વિશેષ આશીર્વાદ મળી શકે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.