વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર્તવ્ય પથ પર અડગ રહેવાને કારણે સોશિયલ મીડિયા પર તેમની તુલના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરવામાં આવી રહી છે. સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે પણ 1909માં જે કર્યું હતું. તેનો આજે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.
માતાના અંતિમ સંસ્કાર બાદ ફરી કામમાં લાગી ગયા PM મોદી
PM મોદીની સરદાર પટેલ સાથે થઈ રહી છે સરખામણી
સરદાર પટેલે પણ 1909માં આવું ઉદાહરણ કર્યું હતું રજૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતા હીરાબા શુક્રવારે સવારે 9:26 વાગ્યે પંચતત્વમાં વિલીન થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાઈઓની સાથે તેમને મુખાગ્નિ આપી હતી. આ પહેલા પીએમ મોદી અંતિમ યાત્રા દરમિયાન માતાના પાર્થિવદેહને ખભા પર લઈને ગાંધીનગરના રાયસણ ખાતે આવેલા તેમના ભાઈના ઘરમાંથી બહાર આવ્યા અને ત્યારબાદ શબવાહીનામાં બેસીને સ્મશાનઘાટ પહોંચ્યા હતા. માતાના અંતિમ સંસ્કાર બાદ પીએમ મોદીએ તેમનો કોઈ નિર્ધારિત કાર્યક્રમ રદ્દ નથી કર્યો. તેઓ અંતિમ સંસ્કાર બાદ ગાંધીનગર ખાતે આવેલા રાજભવન પહોંચ્યા હતા. તેઓ અહીંથી બંગાળમાં યોજાઈ રહેલી રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. પીએમ મોદીએ વર્ચ્યુઅલી હાવડાને ન્યૂ જલપાઈગુડી સાથે જોડતી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી.
સરદાર પટેલ સાથે થઈ રહી છે સરખામણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર્તવ્ય પથ પર અડગ રહેવાને કારણે સોશિયલ મીડિયા પર તેમની તુલના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરવામાં આવી રહી છે. સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે પણ 1909માં જે કર્યું હતું, તેનો આજે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. આ ઘટના 11 જાન્યુઆરી 1909ની છે. સરદાર પટેલના પત્ની ઝવેરબેન પટેલ બીમાર હતા, સરદાર પટેલને મહત્વના કેસની સુનાવણી માટે કોર્ટમાં જવાનું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં ગયા. તેઓ કોર્ટમાં દલીલ કરી રહ્યા હતા ત્યારે કોર્ટનો એક કર્મચારી આવ્યો જેણે ન્યાયાધીશની પરવાનગીથી સરદાર વલ્લભભાઈ પટેલના હાથમાં ટેલિગ્રામ મુક્યો અને ચાલ્યો ગયો. પટેલે તેને જોઈને ખિસ્સામાં મૂક્યું અને ઊલટતપાસ પૂરી કરી. બાદમાં ખબર પડી કે આ ટેલિગ્રામ તેમની પત્નીના નિધનનો હતો. બાદમાં જ્યારે ન્યાયાધીશને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે સરદાર પટેલને પૂછ્યું કે તમે આવું કેમ કર્યું? સરદાર વલ્લભભાઈ પટેલ જવાબ આપ્યો - આ મારી ફરજ હતી. મારા અસીલને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. આ કેસમાં મારે હાજર રહેવું જરૂરી હતું.
મોદીએ એક મોટો દાખલો બેસાડ્યો
સરદાર પટેલની જેમ પીએમ મોદીએ તેમની માતાના અવસાન પર પુત્રની ફરજ નિભાવી, પરંતુ તેમના તમામ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને અસર ન થવા દીધી. વડાપ્રધાન પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને સંબોધન કર્યું હતું. PM મોદી સવારે 7.45 કલાકે અમદાવાદ પહોંચ્યા. અહીં તેમણે 5 મિનિટ સુધી લોકો સાથે વાતચીત કરી અને પછી સીધા ગાંધીનગર તેમના ભાઈના ઘરે જવા રવાના થયા. 8:24 વાગ્યે ગાંધીનગરમાં પંકજભાઈના ઘરે પહોંચ્યા. માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 8:30 વાગ્યે માતાને નમન કર્યાના પાંચ મિનિટ બાદ પીએમ મોદી તેમના પાર્થિવ દેહ સાથે ઘરની બહાર આવ્યા. 8.35 કલાકે પીએમ મોદીએ પાર્થિવ દેહને શબવાહીનીમાં રાખ્યો અને માતા સાથે શબવાહીનીમાં બેઠા. PM મોદી સવારે 9:05 કલાકે સ્મશાનભૂમિ પહોંચ્યા અને માતાના પાર્થિવદેહને ખભા પર લઈને ચિતા સુધી લઈ ગયા. 9:26 વાગ્યે માતા હીરાબાના અંતિમ સંસ્કાર કર્યા બાદ પીએમ મોદી ત્યાં લાંબા સમય સુધી ઊભા રહ્યા. માતાના અંતિમ સંસ્કારને જોતા રહ્યા. આ પછી પીએમ મોદી 10:15 વાગ્યે રાજભવન પહોચ્યા. ત્યાંથી તેઓ બંગાળમાં ચાલી રહેલી ગંગા પરિષદની બેઠકમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા. આ પછી પીએમ મોદી બંગાળમાં 11:40 વાગ્યે આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા અને વંદે ભારત ટ્રેન સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
33 વર્ષ બાદ દુ:ખનો પહાડ
આ બીજી વખત છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. 33 વર્ષ પહેલા પીએમ નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદીનું નિધન થયું હતું. 1989માં પિતાના અવસાન સમયે પીએમ મોદી અને તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો હતો. હવે ફરી એકવાર તેઓ ખૂબ જ દુઃખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા તેમની ફરજો પ્રત્યે સભાન અને સજાગ રહ્યા છે. તેઓ કર્મને મહત્વ આપતા આવ્યા છે. તેમને તેમની માતા પ્રત્યે ઘણો લગાવ હતો, તેથી તેમની ગેરહાજરીમાં તેમણે પુત્ર ધર્મ નીભાવ્યો અને પછી જાહેર જીવનમાં મળતા કર્તવ્ય પથ પર પાછા ફર્યા.