ધોરાજીની સરકારી હોસ્પિટલ માં જાહેરમાં ભાજપના વખાણ થી વસોયાના ભાજપ પ્રવેશની અટકળ તેજ બની હતી જો કે, આ અંગે લલિત વસોયાએ VTV પર સ્પષ્ટતા કરી હતી.
હાર્દિક પટેલ પછી કોંગ્રેસના MLAએ ભાજપની પ્રસંશા કરી
ચર્ચાઓએ જોર પકડતા VTV પર કરી સ્પષ્ટતા
વિના મૂલ્યે અનાજ વિતરણની કામગીરી બિરદાવી
ધોરાજીના MLA લલિત વસોયાએ ભાજપના કાર્યને વખાણ્યું
આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ સક્રિય બનતી જાય છે. જો કે, કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. જેની વચ્ચે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ બે વર્ષથી સરકાર દ્વારા ગરીબોને વિનામૂલ્યે અનાજ અપાયું તથા આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી થાય છે તેમ કહીને સરકારનો આભાર માન્યો હતો. જેને લઈને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે તેવી અટકળો વહેતી થઈ હતી.
લિલત વસોયાના નિવેદનથી રાજકીય હલચલ મચી જવા પામી
જેને લઈને કોંગ્રેસ પક્ષમાં ભારે રાજકીય હલચલ મચી જવા પામી હતી. આમ હાર્દિક બાત લિલત વસોયા ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તેવી અટકળો તેજ બનતા લલિત વસોયાએ VTV પર સ્પષ્ટતા કરી હતી કે, કેલાક લોકો દ્વારા મેં આપેલા નિવેદનનો જૂદો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.
લલિત વસોયા ભાજપમાં જોઈડાઈ રહ્યાં છે તે વાતને નકારી હતી.
તેમણે જણાવ્યું હતું કે, મે કાર્યક્રમ દરમિયાન સરકાર દ્વારા અપાતું વિના મૂલ્યે અનાજ વિતરણની કામગીરી બિરાદાવી તો જરૂર હતી પરંતુ સમગ્ર રાજ્યમાં કુપોષિત અને અલ્પ વિકસિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. જે અંગે મેં સરકારને ટકોર કરી હતી.આ સાથે તેઓએ ભાજપમાં જોડાઈ રહ્યું છે.તે વાતને નકારી હતી.