એક્ઝિટ પોલમાં એનડીએની સરકારની વાપસીના સંકેત સાથે બિહારમાં મજબુત હોવા અંગે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જો એક્ઝિટ પોલનું માનીએ તો, બિહારમાં ભાજપાને ક્લીન સ્વીપ મળી રહી છે.
બિહારમાં એનડીએના 38થી 40 સીટ જીતવા અંગે અનુમાન લગાવાઇ રહ્યું છે. એવામાં એક્ઝિટ પોલના પૂર્વાનુમાને નીતિશ કુમારની ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં ભાજપાના મજબૂત સ્થિતિએ પાર્ટીમાં નેતા બિહારમાં નીતિશ કુમારના સ્થાને પોતાના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે.
બિહારના એમએલસી સચ્ચિદાનંદ રાયે તે નેતાઓમાં સામેલ છે. જેમનું કહેવું છે કે જો મત નરેન્દ્ર મોદીના નામે માંગવામાં આવ્યા છે. તો રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના સ્થાને ભાજપના કેમ ન બનવા જોઇએ.
સચ્ચિદાનંદ રાયનું કહેવું છે કે બિહારમાં જીતન રામ માંજ્ઞી, ઉપેન્દ્ર કુશવાહા જેવા નેતા નીતિશ કુમારને કારણે એનડીએને છોડી ચૂક્યા છે. તેનું કારમ નીતિશ કુમારના ભાજપમાં સમર્થકો હોવાને બતાવવામાં આવી રહ્યું છે. ટેલીગ્રાફની રિપોર્ટ મુજબ નીતિશ કુમારના સમર્થકોએ જ સુનિશ્ચિત કર્યુ કે ભાજપા અને જદયૂ બિહારમાં બરાબર 17-17 સીટો પર ચૂંટણી લડશે.