ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં જ તંત્રને માસ્ક યાદ આવ્યા છે. નેતાઓની રેલીમાં હજારો લોકો માસ્ક વિના જોડાતા હતા તે સમયે નિંદ્રાધિન અવસ્થામાં પડેલું તંત્ર હવે જાગી ગયું છે.
સુરતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ તંત્રને યાદ આવ્યા માસ્ક
ચૂંટણી સમયે નિંદ્રાધિન મનપા હવે આવ્યું એક્શનમાં
માસ્ક વિના ફરતા લોકોને ફટકાર્યા દંડ
એમ લાગે છે કે નેતાઓ માટે નિયમો નથી. નિયમોનું પાલન તો માત્ર જનતાએ જ કરવાનું છે. એ પછી લગ્ન પ્રસંગ હોય કે કોઈ સમારોહ. નેતાઓની રેલીને અસર ન થવી જોઈએ. આવા બેવડા ધોરણથી કોરોના મામલે કાર્યવાહી થઈ રહી છે.
ચૂંટણી પૂર્ણ થતાં જ તંત્રને માસ્ક યાદ આવ્યા
સુરતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ તંત્રને માસ્ક યાદ આવ્યા અને એક જ દિવસમાં માસ્ક વિના ફરતા 394 લોકો પાસેથી 3.94 લાખ દંડ વસૂલ્યો. જે સમયે રાજકીય રેલીઓ ચાલતી હતી. રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓએ તમામ નિયમો નેવે મુકીને રેલીમાં જોડાયા. માસ્ક ન પહેરવા માટે અવનવા બહાના પણ કરતા હતા. કેટલાક કાર્યકર્તાઓએ તો રસી લઈ લીધી હોવાની વાત પણ મીડિયા સમીક્ષ કરી હતી. તે સમયે તંત્રએ તો કોઈ કાર્યવાહી ન કરી. પણ હવે આદેશ મળી ગયા છે અને તેનું પાલન પણ શરૂ કરી દીધું છે.
પરિણામ ભોગવવાનો વારો તો જનતાનો જ
તંત્રની આ ચાબુક માત્ર જનતા પર જ વરસી રહી છે. નિયમો તોડનારા રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ પર ચાબુક વરસે તો ખરો ન્યાય કહેવાય. ચૂંટણી આવતા જ કોરોનાના કેસમાં અચાનક ઘટાડો થઈ જવો. અને હવે અચાનક કોરોના વિસ્ફોટ એ પણ દર્શાવે છે કે ચૂંટણી રેલીઓ તેની પાછળ જવાબદાર હોઈ શકે. પણ હવે શું. ચૂંટણી યોજાઈ ગઈ. પરિણામ આવી ગયા. પણ હવે પરિણામ ભોગવવાનો વારો તો જનતાનો જ આવવાનો છે..