રામાનંદ સાગરની રામાયણનું જ્યારથી રિ-ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી જ આ સીરિયલને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે અને આ સીરિયલે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી લીઘો છે. જ્યારથી રામાયણ દૂરદર્શન પર ફરી ટેલિકાસ્ટ કરવામાં આવ્યું છે ત્યારથી જ ચર્ચામાં જ છે. રામાયણ ખતમ થયા બાદ ઉત્તર રામાયણ શરૂ થઈ. તેને પણ ફેન્સનો ભરપૂર પ્રેમ મળ્યો. ઉત્તર રામાયણ પણ હવે ટૂંક સમયમાં ખતમ થવાનું છે. પરંતુ ફેન્સે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે રામાયણ ફરી એકવાર બતાવવામાં આવશે પણ બીજી ચેનલ પર.
એક રિપોર્ટ મુજબ, રામાયણ સ્ટાર પ્લસ પર ફરી શરૂ કરવામાં આવશે. 4 મેથી રોજ રાતે 9.30 વાગ્યે રામાયણ ઓન એર થશે. તમને જણાવી દઈએ કે, રામાયણની ટીઆરપી નંબર વન પર છે. આ રામ-રાવણ યુદ્ધ અને રામના અયોધ્યા પાછા આવવા દરમિયાનની ટીઆરપી છે.
ઉત્તર રામાયણની વાત કરીએ તો હાલ શોમાં અશ્વમેઘ યજ્ઞ ચાલી રહ્યો છે. રામ-સીતાના પુત્રો લવ-કુશે અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પકડી લીધો છે અને રાજા રામને યુદ્ધ માટે પડકાર્યા છે. લવ-કુશે શત્રુઘ્નને હરાવી દીધો છે. હવે લવ-કુશથી યુદ્ધ લડવા માટે લક્ષ્મણ ગયો છે. જલ્દી સીતા એકવાર ફરી રામના દર્શન કરી શકશે. ઉપરાંત લવ-કુશ પણ તેના પિતાને ઓળખી શકશે અને મળી શકશે.