દિલ્હી: વર્ષ 2019માં થનારી લોકસાભાની ચૂંટણી પૂર્વે બિહારમાં JDU અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે. સીટોની વહેચણી મુદ્દે મામલો ગરમાતા હવે બંને પક્ષો વચ્ચે ખેચતાણ પણ વધવા માંડી છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સીટોની વહેચી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું છે કે આગામી 4થી 5 સપ્તાહમાં એક ફોર્મુલા તૈયાર થશે.
જે આધારે સીટોની વહેંચણી કરવામાં આવશે. મહત્વનું છે કે બિહારમાં NDAમાં શામિલ નીતીશ કુમારની JDU અને કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાનની LJP પાર્ટી તથા ઉપેન્દ્ર કુશવાહની RLSPજેવી નાની પાર્ટીઓ પણ સામેલ છે.
વર્ષ 2014માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ LJP અને RLSP સાથે મળીને ચૂંટણી લડી હતી. જેમાં ભાજપને 40 માથી 22 સીટો તો LPGને 6 અને RSLPને 3 સીટો પ્રાપ્ત થઈ હતી.
આપને જણાવી દઇએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ગત 12 જુલાઇના રોજ થયેલ મુલાકાત મામલે પૂછવામાં આવેલ સવાલનો જવાબ બિહારના મુખ્યપ્રધાને ચા-નાસ્તા સાથે રાતના જમવાની જ વાત થઇ હોવાનું કહ્યું હતું.
નીતીશ કુમારે કહ્યું કે જ્યાં સુધી પ્રશ્ન લોકસભા ચૂંટણી છે તો આ વિષયમાં ટૂંક સમયમાં જ એક પ્રસ્તાવ લાવવામાં આવશે. આ સાથે વધુમાં એવું પણ કહ્યું હતું કે તમામ વસ્તુ એકાદ મહિનામાં જ સામે આવી જશે.