અમદાવાદમાં ડેમોલિશન પછી નાગરિકો ત્રાહિમામ થઇ ગયા છે. ડેમોલિશન કર્યા પછી કાટમાળ લઈ જનારૂ કોઈ નથી. મહાનગરપાલિકાએ તોડફોડ કરી હવે કાટમાળ કોણ લઈ જશે?
અમદાવાદમાં મોટાપાયે ડેમોલિશન થયા પછી મોટા પ્રશ્નો ઉભા થયા છે. રસ્તા પર કાટમાળના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઇ રહ્યાં છે. ક્યાંક ભયજનક રીતે મકાનો તોડેલો કાટમાળ લટકી રહ્યા છે.
બાંધકામના કાટમાળને કારણે રસ્તા પર ધૂળ ઉડે છે. કાટમાળના ઢગલાને કારણે લોકોને હેરાનગતિ થઇ રહી છે. ડેમોલિશનનું સારૂ કામ કર્યા પછી મહાનગરપાલિકાની લાલિયાવાડી સામે આવી છે.
અમદાવાદના અસારવા નજીક સિવિલ હોસ્પિટલ અને રાજસ્થાન હોસ્પિટલ આવેલી છે જેથી દર્દિઓને લઇ જવા માટે આખો રસ્તો ફરિને પહોચવું પડે છે અને ભારે હેરાનગતી ભોગવવી પડે છે. તો પછી વસ્ત્રાપુર તળાવ પાસે પણ ડેમોલિસન કરાયુ છે અને અત્યારે પણ ચાલુ છે. પરંતુ તેનો કાટમાળ તરત હટાવાતો નથી કે પછી તે રસ્તાની તરત જ મરામત કરાતી નથી.
દરેક જગ્યાએ કામ શરૂ તો થઇ ગયું છે પરંતુ તે ક્યારે પુરૂ થશે અને ક્યાં સુધી ચાલશે તે નક્કી હોતુ નથી. સ્થાનિકોના મકાન તોડફોડ કરવામાં આવ્યા એટલે તેઓ આક્રોશમાં કોઇ કામગીરી કરતા નથી. તો આ તરફ તંત્ર આ સ્થિતિથી વાકેફ હોવા છતાં