એકનાથ શિંદે અને 39 ધારાસભ્યો ફરી એકવાર આસામની મુલાકાતે જશે. અગાઉ ઉદ્ધવ સરકારમાં બળવો કરવા માટે એકનાથ અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ આસામમાં જ આશરો લીધો હતો.
એકનાથ શિંદે અને 39 ધારાસભ્યો ફરી એકવાર આસામની મુલાકાતે જશે
ઉદ્ધવ સરકારમાં બળવો કરવા શિંદે અને તેમના ધારાસભ્યોએ આસામમાં જ આશરો લીધો હતો
ભાજપ સાથે ગઠબંધન કરીને જુલાઈમાં સત્તા સંભાળી હતી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના 39 ધારાસભ્યો ફરી એકવાર આસામની મુલાકાતે જવાના છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા વિકાસ આઘાડી સરકારને પાડી દીધા પછી આ એમની પહેલી વિઝિટ છે. જણાવી દઈએ કે આ અગાઉ ઉદ્ધવ સરકારમાં બળવો કરવા માટે એકનાથ અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ આસામમાં જ આશરો લીધો હતો.તો હવે આ વખતે એકનાથનું શું પ્લાનિંગ હશે..
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના સીએમ શિંદે અને તેમના 39 ધારાસભ્યો આસામના ગુવાહાટીમાં આવેલ પ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે અને મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બદલ ત્યાં આભાર વ્યક્ત કરશે. જણાવી દઈએ કે શિંદે કેમ્પના એક પદાધિકારીએ તેને શિંદે-ફડણવીસ સરકારની સ્થાપના પહેલા કરવામાં આવેલ "વચન પૂર્તિ " તરીકે વર્ણવ્યું હતું.
જણાવી દઈએ કે ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારના સમર્થનને પાછા ખેંચ્યા પછી શિંદે અને તેનાં ધારાસભ્યોએ આ જૂનમાં ગુવાહાટીમાં ધામા નાખ્યા હતા અને એ પછી તેને ભાજપ સાથે ગઠબંધન કરીને જુલાઈમાં સત્તા સંભાળી હતી.
આ સમયે શિંદે કેમ્પના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુવાહાટી પછી ધારાસભ્યો અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે પણ અયોધ્યા મુલાકાતની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.જણાવી દઈએ કે વ્યવસ્થાની તપાસ કરવા અને મુખ્યમંત્રી અને ધારાસભ્યો માટે આ કાર્યક્રમ તૈયાર કરવા માટે વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ પહેલેથી જ ગુવાહાટી રવાના થઈ ગઈ છે અને આ સાથે જ ધારાસભ્યોના પરિવારજનો પણ એમની સાથે જોડાઈ શકે એવી શક્યતા છે. આ સાથે જ એકનાથ શિંદે આસામના ગવર્નર પ્રોફેસર જગદીશ મુખી અને આસામના પોલીસ મહાનિર્દેશક ભાસ્કર જ્યોતિ મહંત સાથે મુલાકાત કરી શકે એવી અપેક્ષા છે.