બનાસકાંઠા ધાણધાર પંથકમાં વર્ષો પહેલાં જુવાર શેરડી ચણા જેવા પાકો લહેરાઈ રહ્યાં હતાં.આ પંથક માં શેરડીનું મોટા પાયે વાવેતર થતું હતું.
મહારાષ્ટ્ર ,સૌરાષ્ટ્ર, રાજસ્થાન થી શેરડી લાવી ગોળ બનાવવાનો શરૂ કર્યો
30 વર્ષથી અપૂરતા પાણીને લીધે જિલ્લામાં ક્યાંય શેરડીનું ઉત્પાદન થતું નથી
બહારથી ગોળ લાવી કેમિકલ વગરનો ગોળ બનાવવાનું શરૂ કર્યું
એક સમય માં જ્યાં ધાન્ય એટલે કે અનાજ ની ધાર થતી હતી અને તેના પર થી આ વિસ્તારનું નામ ધાણધાર પડ્યું હતું. તેવા બનાસકાંઠા ધાણધાર પંથકમાં વર્ષો પહેલાં જુવાર શેરડી ચણા જેવા પાકો લહેરાઈ રહ્યાં હતાં.આ પંથક માં શેરડીનું મોટા પાયે વાવેતર થતું હતું. જે શેરડી માં થી દેશી ગોળ તેમજ પાતળો ગોળ ખૂબ મોટા પ્રમાણમાં બનતો અને લોકો નો મુખ્ય ખોરાક પણ ગોળ હતો. પરંતુ સમય જતાં પાણી ના અભાવે આ વિસ્તાર માં થી આ પાકો લુપ્ત થઈ ગયા. ત્યારે હવે આ પંથક માં ફરી થી ખેડૂતો એ બહાર ના રાજ્ય માંથી શેરડી લાવી ગોળ બનાવી રહ્યા છે.ત્યારે દૂર દૂર થી લોકો આ ગોળ લેવા માટે આવી રહ્યા છે..
મહારાષ્ટ્ર ,સૌરાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાંથી શેરડી લાવી ગોળ બનાવવાનો શરૂ કર્યો
એક સમયે જ્યાં શેરડીના પાક સતત લહેરાતા જોવા મળતા હતા.જ્યાં શેરડીમાંથી ગોળ મોટા પ્રમાણમાં બનતો હતો.તેમજ લોકો દેશી શુધ્ધ ગોળ રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગ કરતા હતા. તેવા ધાનધાર વિસ્તારમાં પાણીના તળ ઊંડા ગયા બાદ શેરડી નું વાવેતર બંધ થઈ ગયું. જેના કારણે ગોળ બનાવવાનું પણ બંધ થઈ ગયું. જોકે હવે 30 વર્ષ બાદ આ વિસ્તારના ખેડૂતો એ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાંથી શેરડી લાવી તેને પીલી નાખી ઉકાળીને કેમિકલ મુકત ગોળ બનાવવાનું શરૂ કર્યું છે. જે ગોળ હાલ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે.
30 વર્ષથી અપૂરતા પાણીને લીધે જિલ્લામાં ક્યાંય શેરડીનું ઉત્પાદન થતું નથી
બનાસકાંઠા જિલ્લામાં વસતા સૌ કોઈને ખબર છે કે પાછલા 30 વર્ષથી અપૂરતા પાણીને લીધે જિલ્લામાં ક્યાંય શેરડીનું ઉત્પાદન થતું નથી. શેરડીના ઉત્પાદનમાં ખૂબ જ વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. અને જમીન ભેજવાળી હોય ખૂબ જરૂરી હોય છે. ત્યારે શેરડી નું વાવેતર બંધ થઈ જતા હવે ખેડૂતો બહારના રાજ્યો માંથી શેરડી લાવી ગોળ બનાવી રહ્યા છે.શેરડી ને કોલુ મશીન માં પિલવામાં આવે છે ત્યાર બાદ તેના રસ ને અલગ અલગ રીતે થાળ માં ઉકાળવામાં આવે છે.જેના 5 કલાક બાદ આ ગોળ તૈયાર થાય છે. જેને આ વિસ્તારના લોકો પાતળો ગોળ કહે છે. કેમિકલ વગર બનતા આ ગોળ નું ખૂબ મહત્વ છે. પહેલા સસ્તા ભાવે મળતો ગોળ હાલ મોંઘવારી માં 80 રૂપિયે કિલો મલી રહ્યો છે. શિયાળા ની કડકડ તી ઠંડીમાં આ ગોળ શરીર માટે ખૂબ લાભદાયી ગણાય છે. જેને લઇ લોકો આ ગોળનો મોટી માત્રામાં ખોરાકમાં ઉપયોગ કરે છે.
બહારથી ગોળ લાવી કેમિકલ વગરનો ગોળ બનાવવાનું શરૂ કર્યું
કેમિકલ વિનાના ગોળ માટે દિવસેને દિવસે લોકોની માંગ વધી રહી છે. ગોળનાં સંચાલક નું કહેવું છે કે ગામડાઓમાં વર્ષોથી આ ગોળ ખૂબ ખવાય છે. પરંતુ આ ગોળ કોઈ બનાવતું નહોતું પરંતુ અમે શેરડી લાવી ગોળ બનાવવાનું શરૂ કર્યું જેનાથી લોકો હવે દૂર દૂર થી ગોળ લેવા આવે છે. શિયાળા માં 4 મહિના સુધી આ ગોળ બને છે. જે ઠંડી માં લોકો માટે આ ગોળ ખૂબ ફાયદાકારક ગણાય છે.