પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાને કબૂલાત કરતાં કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં અમેરિકાને સાથ આપવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. પાકિસ્તાનના પીએમે કહ્યું કે, અમેરિકાએ અંતમાં અફઘાનિસ્તાનમાં પોતાની નિષ્ફળતાનો દોષનો ટોપલો પાકિસ્તાનના માથે ઢોળી દીધો તે યોગ્ય નથી.
ઇમરાન ખાન આજે ત્રીજી વખત પીઓકેની મુલાકાતે
જેહાદીઓને ટ્રેનિંગ અમે જ આપી, અમેરિકા પણ જવાબદારઃ ઇમરાન
સોવિયત વિરુધ્ધની લડાઇમાં અમેરિકાએ પાક. મુઝાહિદીનોને આપી ટ્રેનિંગ
મીડીયામાં આપેલા એક ઇન્ટર્વ્યૂમાં ઇમરાનખાને આતંકવાદ વિરુદ્ધ અમેરિકાની લડાઇમાં પાકિસ્તાનને થયેલા જાન-માલના નુકસાનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અમેરિકા પોતાની નિષ્ફળતા માટે ઇસ્લામાબાદને દોષ આપે છે.
પીએમ ઇમરાને કહ્યું કે, જ્યારે પાકિસ્તાને ૯/૧૧ના આતંકી હુમલા બાદ અમેરિકાને સાથ આપ્યો ત્યારે તેમને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું. તેમણે કહ્યું કે, જો અમે ૯/૧૧બાદ અમેરિકાના યુદ્ધમાં ભાગ ન લીધો હોત તો આજે અમે ‘દુનિયાનો સૌથી ખતરનાક દેશ’ પણ ન બન્યા હોત.
ઈમરાનેે અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાની હાજરી સામે સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે, સોવિયત વિરુદ્ધની લડાઈમાં અમેરિકાએ ખુદ પાકિસ્તાનમાં મુઝાહિદીનોને જેહાદના નામે ટ્રેનિંગ આપી હતી.
હવે જ્યારે લાંબી લડાઈ પછી તેમને ત્યાં સફળતા ન મળી તો તેઓ અમને દોષી ગણાવે છે, જે સંપૂર્ણ રીતે ખોટી વાત છે. અમે આ લડાઈમાં ૭૦ હજાર લોકોને ગુમાવ્યા છે. ઈમરાને જણાવ્યું કે, ૧૯૮૦ના દાયકામાં જ્યારે સોવિયતે અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો હતો ત્યારે તેમના વિરુદ્ધ અફઘાન મુઝાહિદીનને પાકિસ્તાને ટ્રેનિંગ આપી હતી.
તેના માટે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ દ્વારા ફંડિગ કરવામાં આવતું હતું. હવે જ્યારે અમેરિકનો અફઘાનિસ્તાનમાં આવી ગયા છે ત્યારે પાકિસ્તાનના આ જ ગ્રૂપને જેહાદીની જગ્યાએ આતંકવાદીઓ કહે છે.
આ ખૂબ વિરોધાભાસ છે. હું માનુ છું કે, એ સમયે પાકિસ્તાને તટસ્થ રહેવાની જરૂર હતી કેમ કે જેહાદમાં સામેલ થઈને આ ગ્રૂપ હવે અમારી વિરુદ્ધમાં આવી ગયું છે.
ઈમરાન ખાનનો આજે ત્રીજો પીઓકે પ્રવાસ: કાશ્મીર મુદ્દે ‘પોલિસી સ્ટેટમેન્ટ’ આપશે
કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં સાવ એકલા પડી ગયા બાદ અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારે ફજેતો થયા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાનખાને હવે તેમનું સંપૂર્ણ ધ્યાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પર કેન્દ્રિત કર્યું છે. ‘કાશ્મીર ઓવર’ના પેંતરા બાદ હવે ઈમરાનખાને આજે પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક મોટા ‘જલસા’નું આયોજન કર્યું છે.
પાક. પીએમ ઈમરાનખાન આજે મુઝફ્ફરાબાદમાં તેમના જાહેર સંબોધન બાદ કાશ્મીર મુદ્દે ‘પોલિસી સ્ટેટમેન્ટ’ પણ આપશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવાયા બાદ ઈમરાનખાનનો આ ત્રીજો પીઓકે પ્રવાસ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે, પાકિસ્તાન કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થી માટે તૈયાર છે અને આ મુદ્દાની કાયદેસરતા આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત છે.
પાક. પીએમ ઈમરાન ખાને ૧૦ સપ્ટેમ્બરે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે, તેઓ આજે (શુક્રવારે) જુમ્માના દિવસે પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક મોટા જલસાનું આયોજન કરવાના છે. આજે જુમ્માની નમાજ બાદ બપોરે ઈમરાનખાન એક વિશાળ રેલીની આગેવાની કરશે અને સમગ્ર દુનિયાનું ધ્યાન કાશ્મીર તરફ કેન્દ્રિત કરવાની કોશિશ કરશે.