ગુજરાતમાં હજુ તો ક્યાર નામના દરિયાઈ ચક્રાવાતના આફ્ટર શોક રૂપે વરસાદ તારાજી સર્જી રહ્યો છે એવામાં ફરી ગુજરાતના દરિયાકાંઠાથી થોડે દૂર 'મહા' નામનું ચક્રાવાત તૈયાર થઈ ગયુ છે. તકેદારીના ભાગ રૂપે માથીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે અને હજુ ગુજરાતમાં વરસાદી માહૌલ જામશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે.
ઉત્તર-પશ્ચિમ તરફથી આગળ વધશે મહા વાવાઝોડું
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરંટ જોવા મળશે
અરબી સમુદ્રમાં ફરી વાવાઝોડું સક્રિય
ગુજરાતનામાં વરસાદની આગાહી યથાવત છે. ગુજરાતના દ. ગુજરાત. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. એક જ સમયે અરબ સાગરમાં બે સાયક્લોન હોય તે કદાચ આ પહેલી ઘટના છે. તેમાંય ક્યાર પણ ઓમાનના દરિયા તરફ ફંટાયુ છે પણ તે દિવસે દિવસે વિકરાળ થતુ જઈ રહ્યુ છે બીજી તરફ દક્ષિણમાંથી મહા આગળ આવી રહ્યુ છે ત્યારે આ બંને સાયક્લોન ભારત માટે તબાહીનો પર્યાય બની શકે તેમ છે.
અરબી સમુદ્રમાં ફરી વાવાઝોડું સક્રિય
અરબી સમુદ્રમાં ફરી એક વાર ડીપ ડીપ્રેશનને પરિણામે ચક્રાવાતનું નિર્માણ થયુ છે. હવામાન વિભાગે આ વાવાઝોડાને મહા નામ આપ્યું છે. ઓમાન તરફ જતા વાવાઝોડાને નામ આપવામાં આવ્યુ છે.
ઉત્તર-પશ્ચિમ તરફથી આગળ વધશે મહા વાવાઝોડું
મહા ચક્રાવાત ઉત્તર-પશ્ચિમ તરફથી આગળ વધી રહ્યુ છે. વાવાઝોડું 6 કલાકમાં 15 કિમીનું અંતર કાપી રહ્યું છે. 6 કલાકમાં સીવિયર સાયક્લોન બનશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરંટ જોવા મળશે
આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠે કરંટ જોવા મળશે. એમાંય માંગરોળ અને પોરબંદર તેમજ દ્વારકાના દરિયામાં વધુ અસર જોવા મળશે.