દેશમાં કોરોનાનો કહેર શમ્યો નથી ત્યારે શિગેલા નામની સંક્રામક બીમારી ઉત્તરી કેરળના અનેક ભાગોમાં ફેલાઈ રહી છે. એટલું જ નહીં કેરળમાં 11 વર્ષના એક બાળકનું પણ આ વાયરસના કારણે મોત થયું છે. કોઝિકોડ જિલ્લામાં ડાયરિયાના 56 નવા કેસ સામે આવ્યા છે અને તેમાંથી 6 લોકોને શિગેલા સંક્રામક હોવાનું જાણવા મળ્યું છે.
કેરળમાં શિગેલા સંક્રમણનો વધ્યો ખતરો
11 વર્ષના બાળકનું થયું મોત
ડાયરિયાને આ રોગનું મુખ્ય લક્ષણ ગણાવાયું
રાજ્ય સરકારે જાહેર કરી એડવાઈઝરી
રાજ્ય સરકારની એડવાઈઝરીમાં કહેવાઈ છે આ વાત
કોરોનાનો કહેર દેશ અને દુનિયામાં અટક્યો નથી ત્યારે આ નવી આફતને જોતાં કેરળની સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. શિગેલા સંક્રમણનું મુખ્ય લક્ષણ ડાયરિયાને ગણાવવામાં આવી રહ્યું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે. શૈલજાએ દરેક નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેઓએ સફાઈ પર વિશેષ ધ્યાન આપવાનું કહ્યું છે.
ડાયરિયાને આ રોગનું મુખ્ય લક્ષણ ગણાવાયું
મળતી માહિતી અનુસાર કોઝીકોડ જિલ્લામાં ડાયરિયાના 56 નવા કેસ સામે આવ્યા છે જેમાંથી 6 કેસમાં શિગેલાનું સંક્રમણ હોવાનું જાણવા મળી રહ્યું છે.તંત્રની તરફથી દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવી રહ્યા છે. રાહતની વાત એ છે કે તમામ દર્દીઓમાંથી કોઈની સ્થિતિ ગંભીર નથી.
આ કારણે સંક્રમણ ફેલાયું હોવાનું અનુમાન
આ સંક્રામક બીમારી દૂષિત પાણીના કારણે ફેલાવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બીમારી ખાસ કરીને બાળકોને જલ્દી થાય છે. રાજ્ય સરકારની તરફથી લગાવવામાં આવેલા મેડિકલ કેમ્પમાં લોકો તપાસ કરાવી રહ્યા છે.