કોરોના વેક્સીનને લઈને ભારતમાં લોકોમાં અનેક સાઈડ ઇફેક્ટ જોવા મળે છે.સરકારે એલર્ટ આપતા કેટલાક લક્ષણો જણાવ્યા છે અને ડોક્ટરની સલાહ લેવા કહ્યું છે.
દેશમાં ચાલી રહ્યું છે વેક્સીનેશન અભિયાન
જો વેક્સીન લીધા બહાદ દેખાય કેટલાક લક્ષણો તો રહો સચેત
સરકારે જાહેર કર્યું એલર્ટ, કહ્યું ડોક્ટરની સલાહ લો
દેશમાં વેક્સીનેશન અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં 18 કરોડથી વધુ લોકોને વેક્સીન અપાઈ ચૂકી છે. આ સમયે બ્રિટન અને યૂરોપના અન્ય ભાગથી એસ્ટ્રાજેનેકા ઓક્સફર્ડની વેક્સીનના કારણે બ્લડ ક્લોટની સાઈડ ઇફેક્ટના સમાચાર આવી રહ્યા હતા. આ વેક્સીન ભારતમાં કોવિશિલ્ડના નામે આવી છે. આ વેક્સીન લેનારાના મનમાં ડર છે અને વેક્સીન ભારતના લોકો પર કઈ રીતે સાઈડ ઈફેક્ટ કરે છે તેનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે.
ભારતમાં બ્લડ ક્લોટિંગના 0.61 ટકા કેસ પ્રતિ મિલિયન
ભારતમાં વેક્સીનેશનની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 23000થી વધારે એડવર્સ ઈવેન્ટના રિપોર્ટ આવ્યા છે. જેમાં 684 જિલ્લાની વાત છે. યૂકેમાં 4 કેસ પ્રતિ મિલિયન અને જર્મનીમાં 10 કેસ પ્રતિ મિલિયન જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે.
શું કહેવામાં આવ્યું છે સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઈઝરીમાં
સ્વાસ્થ્ય મંત્રાલયે હેલ્થ કેર વર્કર અને ખાસ કરીને કોવિશિલ્ડ લેનારા લોકોને માટે એડવાઈઝરી જાહેર કરી છે. વેક્સીન લીધાના 20 દિવસ સુધી AEFI (Adverse events following immunization) ની ફરિયાદ આવી શકે છે. જો ફરિયાદ લાગે તો જ્યાંથી વેક્સીન લીધી છે તેમનો સંપર્ક કરવો.
બ્લડ ક્લોટિંગ સિવાય અન્ય કોઈ સમસ્યામાં જેમકે છાતીમાં દુઃખાવો, શ્વાસની તકલીફ, પેટમાં દર્દ, નબળાઈ કે પછી જોવામાં તકલીફ પણ થઈ શકે છે.
જો વેક્સીન લીધા બાદ શરીરના કોઈ ભાગ પર લાલ રંગના ધબ્બા દેખાય તો પણ સાવધાન રહેવાની જરૂર છે.
જો તમને માઈગ્રેનની સમસ્યા નથી અને છતાં માથું દુઃખે છે કે પછી સતત ઉલ્ટીઓ થાય છે તો વેક્સીનેશન સેન્ટર જઈને રિપોર્ટ કરાવી લો તે જરૂરી છે.
વેક્સીન લાગ્યા બાદ નબળાઈ, શરીરના કોઈ અંગ કામ કરવાનું બંધ કરી દે કે પછી સતત ઉલ્ટી થવી, આંખમાં દર્દ થવું વગેરે લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરી લેવો.