કોરોના બાદ હવે દેશમાં ડેન્ગ્યૂંના કેસમાં ઉછાળો આવ્યો છે. જેમા દિલ્હી ડેન્ગ્યૃૂને મહામારી જાહેર કરી છે. જોકે સૌથી વઘારે પંજાબમાં કુલ 16 હજાર ડેન્ગ્યૂંના કેસ નોંધાયા છે.
દેશમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
દિલ્હીએ ડેન્ગ્યૂને મહામારી જાહેર કરી
પંજાબમાં કુલ 16 હજાર લોકો ડેન્ગ્યૂના ભરડામાં
ભારતના ગણા બધા રાજ્યોમાં હાલ ડેન્ગ્યુંએ ભરડો લીધો છે. ઉત્તરપ્રદેશના ઘણા બધા જિલ્લાઓમાં મચ્છરજન્ય રોગોના કારણે લોકોને ભારે હાલાંકી પડી રહી છે. તો બીજી તરફ દિલ્હી સરકાર દ્વારા પણ મોટો નિર્ણય હવે લેવામાં આવ્યો છે. જેમા દરેક સરકારી હોસ્પિટલોમાં કોરોના અને ટીબીની જેમ ચીકનગુનિયા અને મલેરિયાનો પણ ઈલાજ કરવામાં આવશે.
બિમારીને રોકવા સરકાર એકશન મોડમાં
સરકાર દ્વારા પણ આ બિમારીને રોકવા માટે શક્ય બને તેટલા પગલા લેવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓના કહેવા પ્રમાણે મચ્છર જન્ય રોગોને અટકાવવા માટે શક્ય બને તેટલા પગલા લેવામાં આવી રહ્યા છે. જેમી સિવિક એજન્સીઓ ધ્યાન રાખી રહી છે કે ક્યાય પણ પાણી જમા ન થાય.
રાજસ્થાનમાં ડેન્ગ્યૂના 6 હજાર કેસ
રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 6 હજાર ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. છેલ્લા 3 દિવસમાં અહીયા 1 હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. 29 ઓક્ટોબરે અહીયા 593 ડેન્ગ્યૂંના કેસ મળ્યા હતા. સાથેજ અત્યાર સુધીમાં અહીયા 35 લોકોના મોત પણ થયા છે. માત્ર જયપુરમાં ડેન્ગયૂના 1900 કેસ નોધાયા છે.
પંજાબમાં ડેન્ગ્યૂના 16 હજાર કેસ
બીજી તરફ સાંભળીને તમને નવાઈ લાગશે કે પંજાબમાં ડેન્ગ્યૂના કેસ 16 પર પહોચી ગયા છે. સાથેજ અહિય અત્યાર સુધીમાં 61 લોકોના મોત થયા છે. 12 હજાર કેસ માત્ર 3 દિવસમાં અહિયા નોંઘાયા છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે ટ્વીટ કરીને કહ્યું કે સરકારે સ્થિતીની ગંભીરતા સમજવી જોઈએ