કોરોના બાદ અમદાવાદમાં આ રોગચાળો વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને ઓરી રોગના લક્ષણોની ઓળખ અને માર્ગદર્શિકા સાથેનો પત્ર લખ્યો છે
અમદાવાદમાં બાળકોમાં ઓરીના કેસો વધ્યા
ઓરીના કેસ વધતા AMC આરોગ્ય વિભાગ સતર્ક
બાળકમાં લક્ષણો દેખાય તો સ્કૂલે ન મોકલવા તાકીદ
આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને પત્ર લખ્યો
અમદાવાદ શહેરમાં બાળકોમાં ઓરીનો રોગચાળો વકરતાં AMCનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને ઓરી રોગના લક્ષણોની ઓળખ અને માર્ગદર્શિકા સાથેનો પત્ર લખ્યો છે. જેમાં બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ન મોકલવા તાકીદ કરવામાં આવી છે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા માતા-પિતાએ અન્ય અફવાઓમાં ન આવીને તુરંત જ બાળકોની સારવાર શરૂ કરાવી દેવાની અપીલ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે શિક્ષણ અધિકારીને લખ્યો પત્ર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શિક્ષણ અધિકારીને પત્ર લખીને જાણ કરી છે કે, બાળકને ઓરીના લક્ષણ દેખાય તો તાત્કાલિક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા અર્બન હેલ્થ સેન્ટર ઉપર જાણ કરવાની રહેશે અને બાળકને તાત્કાલિક રજા આપવાની રહેશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ન મોકલવાની તાકીદ કરી છે.
છેલ્લા 4 મહિનાઓમાં નોધાયા 329 કેસ
અમદાવાદ શહેરમાં ઓરીના કેસમાં વધારો થતાં માતા-પિતા અને આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગે ઓરીને કાબૂમાં કરવા માટે ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી વધારી દીધી છે. આપને જણાવી દઈએ કે, શહેરમાં છેલ્લા 4 મહિનામાં ઓરીના કુલ 329 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ દાણીલીમડા, બહેરામપુરા અને સરસપુર વિસ્તારમાં નોંધાયા છે. શહેર