નિપાહ વાયરસ ખાસ કરીને ચામાચિડિયાની એ પ્રજાતિથી ફેલાય છે જે ફળોનું સેવન કરે છે. આ ચામાચિડિયાની લાળ ફળ પર રહી જાય છે અને તે ફળ ખાનારા માણસો કે જાનવર સંક્રમિત થાય છે.
કેરળમાં કોરોના બાદ Nipah virusનો કહેર
નિપાહ વાયરસ ચામાચિડિયાથી ફેલાય છે
12 વર્ષના બાળકનું સારવાર દરમિયાન થયું મોત
12 વર્ષના બાળકનું થયું મોત
સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જ આજે સવારે પોતે સ્થિતિની જાણકારી લેવા કોઝિકોડ જઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આજે નિપાહ વાયરસથી પીડિત 12 વર્ષના બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પીડિત બાળકના શરીરથી સેમ્પલ લેવાયા અને તેમાં ટેસ્ટિંગમાં નિપાહ વાયરસની પુષ્ટિ કરાઈ છે.
We have formed teams to handle the situation. Contact tracing and other measures have already been initiated. As of now, there is no need to panic, but we need to exercise caution: Kerala Health Minister Veena George on the death of a 12-year-old due to Nipah virus infection pic.twitter.com/BKneqWnWr4
આ રીતે ફેલાય છે વાયરસ
નિપાહ વાયરસ ખાસ કરીને ચામાચિડિયાની એ પ્રજાતિથી ફેલાય છે જે ફળોનું સેવન કરે છે. આ ચામાચિડિયાની લાળ ફળ પર રહી જાય છે અને તે ફળ ખાનારા માણસો કે જાનવર સંક્રમિત થાય છે.
સ્વાસ્થ્ય વિભાગે યોજી બેઠક
સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે રાજ્ય સરકારે નિપાહની સંદિગ્ધ સૂચના મળતાં જ શનિવારે મોડી રાતે સ્વાસ્થ્ય અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. રાજ્ય સરકારે હજુ સુધી ખાસ કરીને નિપાહ વાયરસની હાજરીની જાહેરાત કરી નથી પણ સૂત્રોનું માનવું છે કે સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જ આજે સવારે પોતે સ્થિતિની જાણકારી લેવા કોઝિકોડ જઈ શકે છે.
દ. ભારતમાં નિપાહ વાયરસ બીમારીનો પહેલો કેસ
દ. ભારતમાં નિપાહ વાયરસ બીમારીનો પહેલો કેસ કોઝિકોડમાં 19 મે 2018ના રોજ આવ્યો હતો. રાજ્યમાં 1 જૂન 2018 સુધી તેના સંક્રમણથી 17 દર્દીના મોત થયા હતા અને 18 કેસ હોવાનું જાણવા મળ્યું હતું. નિપાહ વાયરસે જ્યારે કેરળમાં પહેલી વાર દેખા દીધી તો આખી દુનિયાની નજર કેરળ પર હતી. આ વાયરસ ખાસ કરીને ચામાચિડિયાની એ પ્રજાતિથી ફેલાય છે જે ફળોનું સેવન કરે છે.
A case of Nipah virus has been detected in the Kozhikode district of Kerala. The Central Government has rushed a team of National Centre for Disease Control (NCDC) to the State to provide technical support: Government of India
મે 2018માં કેરળમાં આવ્યો હતો નિપાહ વાયરસ
નિપાહ એક અતિ સંક્રામક વાયરલ રોગ છે જે આપણી લાળ, પેશાબ કે મળથી અન્ય લોકોમાં ફેલાય છે. મે 2018માં આ વાયરસે કેરળમાં દસ્તક દીધી અને સ્વાસ્થ્ય તંત્ર હરકતમાં આવ્યું. ભારતમાં દ. કેરળના લોકો અન્ય રાજ્યોની તુલનામાં શિક્ષિત છે અહીં સાક્ષરતા દર 94 ટકા જોવા મળ્યો છે.
આ કારણે કેરળ કરે છે લોકોને આકર્ષિત
આ સિવાય કેરળ પોતાની પ્રાકૃતિક સુંદરતાથી પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. આ સિવાય કેટલાક વર્ષોમાં આ પ્રાંત પ્રાકૃતિક મુશ્કેલીઓ અને વેક્ટર જનિત સંક્રામક રોગ સમસ્યાઓને લઈને ચર્ચામાં છે. માનવામાં આવે છે કે કેરળમાં રહેતા પરિવારોને ઓછામાં ઓછા એક સભ્ય હિન્દુસ્તાનના કોઈ અન્ય પ્રાંતમાં કે વિદેશમાં રહે છે અને આ સ્થિતિમાં અનેક એક્સપર્ટ્સ માને છે કે બહારના ક્ષેત્રથી આ રાજ્યમાં આવનારા લોકોના કારણે પણ અહીં સંક્રામક રોગ અને ખાસ કરીને વાયરલ રોગના ફેલાવવાની શક્યતાઓ ભારતના અન્ય રાજ્યોની તુલનામાં વધારે છે.