કોરોનાના કેસમાં હજી ઘટાડો નોંધાયો છે ત્યાં વધુ એક આફતે દસ્તક દીધી છે.મ્યુકોર્માઇકોસિસ નામની બીમારીએ રાજ્યમાં એકાએક એન્ટ્રી લીધી છે અને અમદાવાદમાં 64 દર્દી છે જ્યારે સુરતમાં આ બીમારીને કારણે 3 લોકોના મોત નીપજતા ચિંતા વધી છે.
કોરોના બાદ વધુ એક બીમારીની ગુજરાતમાં એન્ટ્રી
મ્યુકોર્માઇકોસિસના કારણે સુરતમાં 3 લોકોના મોત
અમદાવાદમાં 64 કેસ સામે આવતા ખળભળાટ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, સુરતમાં કોરોનાની આફ્ટર ઇફેક્ટના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે. કેટલાક દર્દીઓમાં મ્યુકોર્માઇકોસિસ નામની બીમારીએ દસ્તક દીધી છે અને 40 જેટલા દર્દીઓ આ બીમારીનો ભોગ બન્યા છે તો 3 દર્દીઓએ મ્યુકોર્માઇકોસિસને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
અમદાવાદમાં પણ મ્યુકોર્માઇકોસિસના 64 દર્દી
સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના હેડ ડો.ઈલાબહેન ઉપાધ્યાયે કહ્યું કે, બે મહિનામાં 44 દર્દી આવા આવ્યા, જેમાં મોટ ભાગના દર્દી ડાયાબિટીસ વાળા છે, મોટી ઉંમરના છે, નાની વયના એક બે કેસ છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે. અંધાપો આવે છે, આ બીમારી કેન્સર કરતાં પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે.
ખાનગીમાં 20 દર્દી નોંધાયા
ખાનગી હોસ્પિટલના ડોક્ટર ડૉ. સપન શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મ્યુકોર માઈકોસીસના દર્દીઓ 15 નવેમ્બરથી વધી રહ્યા છે. આ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં 7 દર્દીઓએ ગુમાવી પોતાની આંખ છે. ખાનગી હોસ્પિટલમાં એક મહિનામાં મ્યુકોર્માઇકોસિસના 20 કેસ નોંધાયા છે. ડોક્ટરનું કહેવું છે કે,મ્યુકોર્માઇકોસિસ કોરોનાથી ઘાતક બીમારી પણ છે નાક, આંખ, કાનમાં તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લેવી પડી છે.
શું સરકારે આ બાબત છુપાવી છે?
કોરોના પછી થતી આ બીમારી સામે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ લોકો સુધી આ એલર્ટની બાબત ગુજરાત સરકારે છુપાવી રાખી હોવાનું સામે આવતાં વિવાદ ખડો થયો છે.
મ્યુકોર્માઇકોસિસ છે શું?
આ ફંગલની ઘાતક વાત એ છે કે આ આંખની નીચે જ્યાં સરદી ભરાતા હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે.
મ્યુકોર્માઇકોસિસના લક્ષણો
આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.