ગુજરાતના દ્વારકામાં કોંગ્રેસની ત્રિ દિવસીય ચિંતન શિબિરની પૂર્ણાહુતી થઇ છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રાસંગિક ઉદ્બોધનમાં વિઝન ડોક્યુમેન્ટ કર્યું રજૂ કર્યું.
દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર પૂર્ણ
ચૂંટણી લક્ષી વિઝન ડોક્યુમેન્ટ પણ આપ્યું
વિજ્બીલ, દેવા માફી, પેન્શન યોજના પર ભાર
ગુજરાતના દ્વારકામાં કોંગ્રેસની ત્રિ દિવસીય ચિંતન શિબિરની પૂર્ણાહુતી થઇ છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રાસંગિક ઉદ્બોધનમાં વિઝન ડોક્યુમેન્ટ કર્યું રજૂ કર્યું.
કોન્ગ્રેસના વિઝન ડોક્યુમેન્ટમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજબીલમાં રાહતનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક તાલુકામાં મહાત્મા ગાંધીના નામની મોડલ શાળા શરૂ કરવા પણ આયોજન હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખેડૂત દેવામાફીનો મુદ્દો લઇને જનતાની વચ્ચે જશે. કોંગ્રેસ આ મુદ્દો લઈને માત્ર જનતા વચ્ચે જશે જ તેટલું પરતું નથી પરંતુ ખેડૂતોના દેવા માફીનો પણ કોંગ્રેસ વાયદો આપશે,સાથોસાથ સેટેલાઇટ માપણી રદ કરવાનો વાયદો પણ ખેડૂતોને આપશે.
ગુજરાત કોંગ્રેસે વિઝન ડોક્યુમેન્ટમાં કોરોના મૃતકોના પરિવારને 4 લાખ સહાય આપવાનો સંકલ્પ દોહરાવ્યો છે તો કોરોના મૃતકના પરિવારને એક સરકારી નોકરીનો વાયદો પણ કર્યો છે. ગુજરાતમાં ક્રાઈમ રેટ ઓછો કરવા અને કથિત શેહ ધરાવતા મોટા ગુનેગારોને એક મહિનામાં પકડી જેલ ભેગા કરવામાં આવશે. 2004 જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો કોંગ્રેસનો સંકલ્પ રહેશે. વધુમાં, કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના ફરી શરૂ કરાશે. આ ઉપરાંત,વ્યાજખોરો સામે જલ્દી કેસ ચલાવવા સંકલ્પ કર્યો છે.