બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / વડોદરા / After communal riots in Samalayan village in Vadodara, the Hindu Muslim community set an example and did a commendable job.

શાંતિ માટે એકમેક / વડોદરામાં સમલાયાં ગામે કોમી રમખાણની ઘટના બાદ હિન્દુ મુસ્લિમ સમાજે બેસાડયો દાખલો, કર્યું સરાહનીય કામ

Vishal Khamar

Last Updated: 08:21 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના સમલાયાં ગામે કોમી રમખાણની બનેલી ઘટનામાં દાખલા રૂપ ઉકેલ લાવવામાં આવ્યો છે. કોમી એખલાસ જાળવવા આગેવાનો અને પોલીસની ઉમદા પહેલ કરવામાં આવી હતી.

  • વડોદરાના સમલાયાં ગામે કોમી રમખાણની બનેલી ઘટનામાં દાખલા રૂપ ઉકેલ 
  • હિન્દુ આરોપીના મુસ્લિમ સમાજના લોકો જામીન બન્યા
  • મુસ્લિમ આરોપીના હિન્દુ સમાજના લોકો જામીન બન્યા
  • કોમી એખલાસ માટે આગેવાનો અને પોલીસની મહત્વની ભૂમિકા

વડોદરાના સમલાયા ગામે કોમી રમખાણની ઘટના બનવા પામી હતી. જેમાં પોલીસે હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકોની ધરપકડ કરી હતી. ત્યારે આ કોમી રમખાણની ઘટનામાં દાખલારૂપ ઉકેલ આવ્યો છે. જેમાં હિન્દુ આરોપીના મુસ્લિમ સમાજના લોકો જામીન બન્યા હતા. જ્યારે મુસ્લિમ આરોપીના હિન્દુ સમાજના લોકો જામીન બન્યા હતા. ત્યારે કોમી એખલાસ જાળવવાનાં ભાગરૂપે આગેવોને અને પોલીસની ઉમદા કામગીરી કરી છે. જેમાં કોમી એખલાસ જાળવવા આગેવાનો અને પોલીસની ઉમદા પહેલ કરવામાં આવી છે. જેમાં સમલાયા ગામમાં શુક્રવારે લગ્નનાં વરઘોડામાં પથ્થરમારો થયો હતો. બંને પક્ષના 37 આરોપીઓની પોલીસે ધરપકડ કહી હતી. જેમાં પોલીસે 21 હિન્દુ આરોપીના મુસ્લિમ સમાજના લોકો જામીન બન્યા હતા. જ્યારે 15 મુસ્લિમ આરોપીના હિન્દુ સમાજના લોકો જામીન બન્યા હતા.  ત્યારે કોમી એખલાક માટે આગેવાનો અને પોલીસની મહત્વની ભૂમિકા રહેવા પામી છે.


ગામમાં ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તે માટે અમે હિન્દુ ભાઈઓનાં જામીન આપીશુંઃમુસ્લિમ સમાજના આગેવાન
ત્યારે આ બાબતે મુસ્લિમ સમાજના આગેવા નજરભાઈ સૈયદે જણાવ્યું હતું કે આ બનાવ બન્યો જે બાદ ગામમાં શાંતિ થયા બાદ પોલીસ સ્ટેશનમાંથી અમને જણાવવામાં આવ્યું કે ગામમાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવીને ગ્રામજનોને સમજ આપી હતી. જેથી અમે નક્કી કર્યું કે મુસ્લિમ ભાઈઓનાં જામીન હિન્દુ ભાઈઓ આપશે. જ્યારે હિન્દુ ભાઈઓનાં જામીન મુસ્લિમ ભાઈઓ આપશે. જેથી ગામમાં ભાઈચારો અને શાંતિ જળવાયેલી રહે. 

બનાવની ગંભીરતા જોઈ પોલીસ દ્વારા હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકોની ધરપકડ કરી હતી
આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશન  પી.આઈ. વી.જી.લાબરિયાએ કહ્યું હતું કે વડોદરાનાં  સમલાયાં ગામ ખાતે બે જૂથ વચ્ચે જૂથ અથડામણનો બનાવ બનવા પામ્યો હતો. ત્યારે પરિસ્થિતિની  ગંભીરતા સમજીને પોલીસ દ્વારા હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકોની ધરપકડ કરી હતી. જે બાદ ગામમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા શાંત સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો અને કોમી એખલાસ જળવાય તે માટે મુસ્લિમ ભાઈઓ દ્વારા હિન્દુ ભાઈઓનાં જામીન આપ્યા છે. જ્યારે મુસ્લિમ ભાઈઓનાં હિન્દુભાઈઓએ જામીન આપ્યા હતા.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ