ફાન્સમાં સરકાર અને કટ્ટરપંથી સંગઠનોની વચ્ચે છેડાયેલી જંગની અસર સમગ્ર દુનિયાના અનેક દેશો પર જોવા મળી રહી છે. દુનિયાભરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોંની વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. ભારતમાં અનેક વિસ્તારમાં મેક્રોંની વિરુદ્ધ પ્રદર્શન અને ગુસ્સો જોવા મળે છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહી દીધું છે કે આતંકવાદની વિરુદ્ધ જંગમાં ભારત ફ્રાન્સની સાથે ઉભુ છે. આ પ્રસંગે પીએમ મોદીઓ ફાન્સના હુમલાની નિંદા કરી હતી.
મુંબઈના રોડ પર ફ્રાન્સના રાષ્ટ્રાધ્યક્ષનું અપમાન કેમ?
આતંકવાદની વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે
દક્ષિણ મુંબઈની એક રોડ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા
દક્ષિણ મુંબઈની એક વ્યસ્થ રોડ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોંના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા. આ દમિયાન આ પોસ્ટરોની ઉપરથી વાહનો પસાર થતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પોસ્ટર હટાવ્યા હતા. મળતી માહિતી મુજબ ભીંડી બજાર વિસ્તાર અને જેજે ફ્લાઈઓવરની નીચે મોહમ્મદ અલી રોડ પર રાહદારો અને મોટર ચાલકોએ મેક્રોંના સેંકડો પોસ્ટર જમીન પર ચોંટાડ્યા હતા.
महाराष्ट्र सरकार,
ये आपके सरकार के राज में क्या हो रहा है?
भारत आज France के साथ खड़ी है ..जो जिहाद फ़्रान्स में हो रहा है,उस आतंकवाद के ख़िलाफ़ हिंदुस्तान के PM ने फ़्रान्स के साथ मिल कर लड़ने की प्रतिज्ञा की है।
फिर मुंबई की सड़कों पर फ़्रान्स के राष्ट्राध्यक्ष का अपमान क्यों? pic.twitter.com/kb7PCCEY4S
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ મુંબઈ રોડ પર મેક્રોંના ફોટો ચોંટાડવાને લઈને વિરોધ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે મહારાષ્ટ્ર સરકાર, આ તમારી સરકારના રાજમાં શું થઈ રહ્યું છે? ભારત આજે ફ્રાન્સની સાથે ઉભુ છે. જે જિહાદ ફ્રાન્સમાં થઈ રહ્યો છે તે આતંકવાદની વિરુદ્ધ હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ ફ્રાન્સની સાથે મળીને લડવાની પ્રતિજ્ઞા લીધી છે. તો પછી મુંબઈના રોડ પર ફ્રાન્સના રાષ્ટ્રાધ્યક્ષનું અપમાન કેમ?
I strongly condemn the recent terrorist attacks in France, including today's heinous attack in Nice inside a church. Our deepest and heartfelt condolences to the families of the victims and the people of France. India stands with France in the fight against terrorism.
પીએમ મોદીએ ટ્વીટ કરતા કહ્યું હતું કે ફ્રાન્સમાં હાલમાં થયેલા આતંકવાદી હુમલાની કડી નિંદા કરુ છુ. જેમાં આજે નીસના ચર્ચમાં નરસંહાર હુમલો પણ સામેલ છે. ફ્રાન્સના લોકો અને પીડિત પરિવારો પ્રત્યે અમારી ઉંડી અને હાર્દિક સંવેદનાઓ છે. આતંકવાદની વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે.