PM મોદી અમેરિકાથી પરત આવ્યા બાદ ઉત્તરાખંડમાં કેદારનાથના દર્શન કરવા જશે તેવી સૂત્રો દ્નરા માહિતી સામે આવી છે. સાથેજ ત્યા તેઓ ભાજપ નેતાઓ સાથે મુલાકાત લેશે તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે.
અમેરિકાથી આવ્યા બાદ PM મોદી જશે ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં PM મોદી કેદારનાથના કરશે દર્શન
ભાજપ નેતાઓ સાથે મુલાકાત લે તેવી સંભવના
વડાપ્રધાન નેરેન્દ્ર મોદી અમેરિકાથી પરત આવ્યા બાદ 10 ઓક્ટોમ્બર પહેલા ઉત્તરાંખંડના કેદારનાથમાં જઈ શકે છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે વડાપ્રધાન 6 તારીખે ઉત્તરાખંડના પ્રવાસે જઈ શકે છે. તેમના કાર્યકાળ દરમિયાન આ બિજી વખત એવું બનશે કે વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં કેદારનાથ દર્શન કરવા જશે.
16 સપ્ટેમ્બરે ચારધામ યાત્રા પરથી પ્રતિબંધ હટ્યો
ઉત્તરાખંડના ઉચ્ચ ન્યાયાલય દ્વારા નૈનીતાલને 16 સપ્ટેમ્બર પછી ચાર ધામ યાત્રા પર પ્રતિબંધ હટાવા આદેશ આપવામાં આવ્યા છે. જોકે યાત્રા પર જતા પહેલા નેગેટિવ રિપોર્ટ કઢાવો ઘણો જરૂરી છે. સાથેજ વેક્સિનેશન કર્યું હોય તેવાજ લોકોને એન્ટ્રી આપવામાં આવશે.
દિવાળી પછી 6 મહિના કેદારનાથના દ્વાર બંધ
બીજી તરફ દિવાળી પછી કેદારનાથના દ્વાર પણ આવનારા 6 મહિના સુધી બંધ રહેશે. જેથી વડાપ્રધાન મોદી કેદારનાથની યાત્રા 10 ઓક્ટોમ્બર પહેલા કરશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. સાથેજ સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે PM મોદી ઉત્તરાખંડમાં ભાજપ નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે.
શહિદ સન્માન યાત્રાનું આયોજન
ઉલ્લેખનીય છે કે ચાર એવા રાજ્યો છે જ્યા ફેબ્રુઆરી 2022માં ચૂંટણી યોજાવાની છે. જેમા ઉત્તરાખંડ પણ શામેલ છે. જેથી ઉત્તરાખંડ સરકાર દ્વારા આવતા મહિને શહિદ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી છે. સાથેજ આ યાત્રા ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણીના થોડાક મહિના પહેલાજ યોજવામાં આવશે.