After CM Thackeray's statement, the BJP chief minister said, "We will not give even 1 inch of land." More about this source textSource text required for additional translation information Send feedback Side panels Cle
વિવાદ /
CM ઠાકરેના નિવેદન બાદ ભાજપના આ મુખ્યમંત્રીએ કહ્યું- 1 ઇંચ જમીન પણ નહીં આપીએ
Team VTV12:31 AM, 19 Jan 21
| Updated: 12:32 AM, 19 Jan 21
કર્ણાટકની મરાઠી ભાષા વાળા વિસ્તારને મહારાષ્ટ્રમાં સામેલ કરવાના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને કર્ણાટકના સીએમ યેદીયુરપ્પાએ દુર્ભાગ્ય પૂર્ણ બતાવ્યું હતુ અને કહ્યું હતું કે અમે આની નિદના કરીએ છીએ, અને અમે એક ઇંચ જમીન પણ મહારાષ્ટ્રને આપવાના નથી.
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે વિવાદ વકર્યો
બેલગાવી સહિતના ક્ષેત્રને લઈને વિવાદ વકર્યો
બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સામસામે
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કર્ણાટક દ્વારા કબજાઈ પાડવામાં આવેલા મરાઠી પ્રાંતને તેઓ મહારાષ્ટ્રમાં ભેળવી દેવા માટે ઉત્સુક છે.
It's unfortunate, I condemn the statement. We're not going to give even an inch of land from this side: Karnataka CM on Maharashtra CM's statement that his govt is committed towards incorporating into the state, the areas of Karnataka where Marathi-speaking people are in majority pic.twitter.com/vV48M6Xcin
આ વાતને લઈને કર્ણાટકની ભાજપ સરકાર અને મહારાષ્ટ્રની કોંમ્ગ્રેસ અને એનસીપીના ટેકા વળી શિવસેના સરકાર વચ્ચે રાજકીય તણાવ ઉભો થઇ ગયો હતો અને બંને રાજ્યના મુખ્યમંત્રીઓ આ વાતને લઈને આમને સામને આવી ગયા હતા અને રાજકીય તણાવ વધી જવા પામ્યો હતો.
બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ આમને સામને
મહારાષ્ટ્રના સીએમ, ઉદ્ધવ ઠાકરે એ વધુમાં જણાવ્યું હતું કે સીમા વિવાદના બલિદાનીયો માટે આ સાચી શ્રદ્ધાંજલિ હશે. અમે આના માટે એક છીએ અને આ વચનનું અમે બલિદાનીઓને સમ્માન આપીએ છીએ.
મહત્વનું છે કે બેલગાવી અને અન્ય અમુક પ્રદેશને આઝાદી મળ્યા સુધી બ્રિટિશ સમયના બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ ગણવામાં આવતો હતો જેને લઈને હાલમાં બંને રાજ્યો વચ્ચે વિવાળ ઉભો થયો છે. આ વિસ્તારમાં મરાઠી પ્રજા બહુમતીમાં છે જેનો સીએમ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં સામેલ કરવાની વાત કરી રહ્યા છે.