2022ની વિધાનસભા ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા 3 રાજ્યોના મુખ્યમંત્રી તો બદલવામાં આવ્યા પરંતુ હવે મોદી સરકાર દ્વારા ધારાસભ્યોને પણ હટાવામાં આવશે. જેનું પણ પ્રદર્શન સારુ નહી હોય તે ધારાસભ્યોને હટાવામાં આવશે.
મુખ્યમંત્રીઓ બદલ્યા બાદ હવે ભાજપ ધારાસભ્યોને બદલશે
જે ધારાસભ્યોનું પ્રદર્શન સારુ નહી હોય તેમને હટાવામાં આવશે
ગત વિધાનસભા ચૂંટણી વખતે પણ ધારાસભ્યોને હટાવાયા હતા
ગુજરાત અને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીઓ બદલ્યા બાદ હવે ભાજપ ધારાસભ્યોને હટવાની ફિરાકમાં છે. આ વાતની જાણકારી પાર્ટીનાજ અમુક અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણી વખતે પણ ભાજપે 15 થી 20 જેટલા ધારાસભ્યોને હટાવી દીધા હતા. પરંતુ આ વખતે વધારે પ્રમાણમાં ધારાસભ્યોને હટાવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
જે પણ કામ કર્યું તેનો રિપોર્ટ આપવો પડશે
પાર્ટી વરિષ્ઠ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી કે લોકોને ઘણા મુદ્દે અસંતોષ છે. તેમા પણ 2022માં પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે. જેથી પાર્ટી દ્વારા મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. ભાજપના એક કાર્યકર્તાએ એવી માહિતી સામે આવી છે કે દરેક ધારાસભ્યોએ 5 વર્ષમાં જેટલા પણ કામ કર્યા છે. તેનો રિપોર્ટ પણ જમા કરવા કહેવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં ધારાસભ્યોને હટાવામાં આવશે
મોટી સંખ્યામાં ઘણા ધારાસભ્યો એવા છે કે જેમનું કામ બરાબર નથી રહ્યું. જેથી તેમને હટાવી દેવામાં આવશે આપને જણાવી દઈએ કે ધારાસભ્યના કામનું મૂલ્યાકન ઘણા પેરામીટર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
કોરોનાકાળની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે
ભાજપ કાર્યકર્તા એવી માહિતી આપવામાં આવી કે કોરોના મહામારીના પડકારમાં સરકાર દ્વારા દરેક પ્રકારના રાહત કાર્યો કરવામાં આવ્યા. ગરીબોને અનાજ આપ્યું સાથેજ જે લોકોની નોકરી જતી રહી છે. તેમને પણ સહાય આપવામાં આવી હતી. તે સમયગાળામાં પણ ધારાસભ્યોનું કામ કેવું હતું તે મુદ્દે પણ નિરીક્ષણ કરવામાં આવશે.
ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં
ઉલ્લેખનીય છે કે આ વખતે વિપક્ષ દ્વારા ભાજપને ઘણા મુદ્દાઓ પર ઘેરવામાં આવી છે. જેને અનુલક્ષીને ભાજપ દ્વારા અત્યારથીજ ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમા ભાજપ દ્વારા ઉત્તરાખંડ અને ગુજરાત તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી બદલાવામાં આવ્યા ત્યારે હવે ધારાસભ્યોનો વારો આવ્યો છે.