શિખર ધવન પહેલાથી જ T20 અને ટેસ્ટ ટીમમાંથી બહાર હતો એવામાં હવે તેને ODI ટીમમાંથી પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
શ્રીલંકા સામેની મેચમાં શિખર ધવનને ટીમમાં ન મળી જગ્યા
સ્થાન ન મળવા પર શિખર ધવને પોતાની પ્રતિક્રિયા આપી
ટીમની જાહેરાત બાદ એમને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો
શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા મંગળવારે મોડી રાત્રે આની જાહેરાત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે રોહિત શર્મા વનડે સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને ટી-20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.
આ સાતે જ સિલેટર્સ સ્ટાર બેટ્સમેન શિખર ધવનને વનડે ટીમમાં તક આપી નથી. ધવન પહેલાથી જ T20 અને ટેસ્ટ ટીમમાંથી બહાર હતો એવામાં હવે તેને ODI ટીમમાંથી પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવા પર શિખર ધવને પોતાની પ્રતિક્રિયા આપી છે.
શિખર ધવને કહી આ વાત
આપણએ બધા જાણીએ છીએ કે શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે અને શ્રીલંકા સામે ટીમની જાહેરાત બાદ એમને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેને કેપ્શનમાં લખ્યું છે કે વાત જીત અને હારની નથી હોતી પણ જીગરની હોય છે. કામ કરતા રહો બાકી બધુ ભગવાનની ઈચ્છા પ્રમાણે આગળ વધશે. જો કે આ પછી ધવને આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ પણ કરી દીધો હતો.
બાંગ્લાદેશ ટુર પર આવ્યા હતા નજર
જણાવી દઈએ કે શિખર ધવન બાંગ્લાદેશ સામેની મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો અને તેના બેટમાંથી રન લેવા મુશ્કેલ બની ગયા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવવામાં પણ નિષ્ફળ સાબિત થયો હતો. બાંગ્લાદેશ ટુર પર ત્રણ વનડેમાં 3,8,7 રન બનાવ્યા હતા અને છેલ્લી પાંચ ઇનિંગ્સમાં તે માત્ર 49 રન જ બનાવી શક્યો છે. જો કે હવે તેના સ્થાને યુવા બેટ્સમેન ઈશાન કિશન અને શુભમન ગિલને ટીમમાં તક આપવામાં આવી છે. જણાવી દઈએ કે ધવને આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે કુલ 22 ODI રમી હતી, જેમાં તે માત્ર 688 રન જ બનાવી શક્યો હતો.
ભારતે ઘણી મેચ જીતી હતી
શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રહ્યું છે જેમાં 34 ટેસ્ટ મેચમાં 2315 રન, 167 વનડેમાં 6793 રન અને 68 ટી20 મેચમાં 1759 રન બનાવ્યા છે પણ વર્ષ 2022 તેના માટે બિલકુલ સારું નથી રહ્યું.