બાલકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પરંતુ તે પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. ભારતને ઈનપુટ મળ્યા છે કે, આતંકી સંગઠનોના આતંકીઓ અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. પાકિસ્તાન એક તરફ શાતિની અપીલ કરે છે અને બીજી તરફ આ પ્રકારની હરકત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે. ગુપ્તચર વિભાગના રિપોર્ટ બાદ અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂતો અને અન્ય અધિકારીઓને હાઇ એલર્ટ મોકલવામાં આવ્યું છે. સૂત્રો મુજબ પાકિસ્તાની આતંકી અફઘાનિસ્તાનના કંધાર, કુનાર, નૂરિસ્તાન અને નગરહાર પ્રાંતમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે.
આ વર્ષે 14 ફેબ્રુઆરીમાં પુલવામામાં CRPFના કોન્વોય પર ફિદાઇન હુમલો થયો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. ઘટનાની જવાબદારી જૈશે લીધી હતી. બાદમાં ભારતીય વાયુસેનાના મિરાજ-2000 પ્લેને POKમાં બાલાકોટ સ્થિત જૈશના આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઇક કરી હતી.
આ એરસ્ટ્રાઈકમાં 300 આતંકીઓના મોત થયા હોવાનું સામે આવ્યું હતું..આ હુમલા બાદ પાકિસ્તાન સરકારે પોતાની સરહદમાં ચાલતા આ પ્રકારના કેમ્પો બંધ કરાવ્યા છે..પરંતુ તેમણે આતંકવાદનો રસ્તો છોડ્યો નથી અને તેઓ અફઘાતિસ્તાનમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.
પાકિસ્તાનના આતંકીઓએ તાલિબાન, હક્કાની નેટવર્ક સહિત અફઘાન વિરોધી સંગઠનોથી હાથ મિલાવી લીધો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, આતંકી સંગઠનોને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સથી પાકિસ્તાનને બ્લેક લિસ્ટ થવાથી બચાવવા માટે આ પગલું ભર્યું છે.
FATFની આ વર્ષના અંતે પેરિસમાં બેઠક થવાની છે. પાકિસ્તાનને પહેલાથી જ ટેરર ફંડિગ રોકવા અને આતંકવાદી પ્રવૃતિઓ પર લગામ લગાવવા પગલાં લીધા છે..પાકિસ્તાનને વિશ્વભરમાં અલગ કરવા માટે ભારત હાલ પ્રયાસ કરી રહ્યું છે તેમા જો આ પુરાવા મળે તો તેનો ફાયદો થઈ શકે છે.