અખિલ ભારતીય અખાડા પરિષદે અયોધ્યા મામલાના સમાધાન થયા બાદ કાશી અને મથુરાના મંદિરોને મુક્ત કરવા માટે અભિયાનની જાહેરાત કરી છે. મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યું કે, કાશી અને મથુરાને મુક્ત કરાવવાની માંગ ઘણા સમયથી થઇ રહી છે.
અખાડા પરિષદે કહ્યું કાશી અને મથુરાના મંદિરો પણ કરાવીશું મુક્ત
અયોધ્યા વિવાદના અંત બાદ શરૂ થશે મુક્તિ અભિયાન: અખાડા પરિષદ
કાશી અને મથુરામાં મંદિરોનો નાશ કરાયો: અખાડા પરિષદ
અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યું કે, મસ્જિદોના નિર્માણ માટે કાશી અને મથુરામાં મંદિરોને ધ્વસ્ત કરવામાં આવ્યા. અમે આ મુ્દ્દાને ઉઠાવીશું અને સુનિશ્ચિત કરીશું કે આ સ્થળો પર ભવ્ય મંદિર બનાવવામાં આવે. દેશભરમાં મંદિર મુક્તિ અભિયાન હાથ ધરાશે. અયોધ્યા વિવાદનો અંત આવ્યા બાદ મંદિર મુક્તિ અભિયાન હાથ ધરાશે. કેન્દ્ર અને રાજ્યમાં હિન્દુ સરકારો છે એટલા માટે આનાથી ઉત્તમ સમય ન હોય શકે.
તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે અયોધ્યામાં કોર્ટનો નિર્ણય રામ મંદિરના પક્ષમાં હશે. મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા વકીલોનો વ્યવહારમાં હતાશા સ્પષ્ટ જોવા મળી હતી.
મહંતે મુસ્લિમોને રાષ્ટ્ર હિતમાં કાશી અને મથુરા પર દાવા છોડવા માટે કહ્યું. તેમણે કહ્યું કે, મુસ્લિમોએ આ બે સ્થાનો પર ભવ્ય મંદિરોના નિર્માણનું સમર્થન કરવું જોઇએ.
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં જ્ઞાનવાપી મસ્જિદ દ્વારા આંશિક રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે. આ સ્થાન પર સ્થિત મૂળ કાશી વિશ્વનાથ મંદિરને નષ્ટ કરવા ઔરંગઝેબ દ્વારા 1669માં મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
હિન્દુ સંગઠન લાંબા સમયથી હાજર કાશી વિશ્વનાથ મંદિરના ભવ્ય જીર્ણોદ્ધાર અને મસ્જિદના સ્થાનાંતરણ માટે કહેતા રહ્યા છે, તેની સાથે જ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ સાથે જોડાયેલ શાહી ઈદગાહ પણ લાંબા સમયથી રડાર પર છે.