ઓટો સેક્ટરમાં મંદી અને વેચાણમાં 30-35 ટકાનો ઘટાડોના સમાચારો મળી જ રહ્યા છે. પ્રમુખ ઓટો કંપનીઓના વેચાણમાં ઘટાડો, ડીલરશીપ બંધ થઇ ગઇ છે. ત્યારે હવે દેશના ટેક્સટાઇલ સેક્ટર પણ મંદી જોવા મળી રહી છે. ટેક્સટાઇલ સેક્ટર સાથે જોડાયેલા સંગઠનનો દાવો છે કે મોટી સંખ્યામાં નોકરીઓ ખતમ થઇ રહી છે.
દેશનું ઓટો સેક્ટર પહેલા થી જ મંદીમાં ધકેલાઇ ગયું છે. દેશની સૌથી મોટી કાર કંપનીઓ મારુતિ સુઝુકી સહિત હ્યુંડઇ, મહિન્દ્રા, હોન્ડા કાર અને ટોયોટા કિર્લોસ્કર મોટર્સ જેવી પ્રમુખ ઓટો કંપનીઓના વેચાણમાં જુલાઇ માસમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સાથે દેશભરમાં સેંકડો ડીલરશિપ બંધ થઇ ગઇ છે. હવે દેશના ટેક્સટાઇલ સેક્ટરમાં પણ મંદી તરફ આગળ વધી રહ્યું છે. ટેક્સટાઇલ સંગઠનોનો દાવો છે કે ન માત્ર મોટી સંખ્યામાં નોકરીઓ ખતમ થઇ રહી છે. પરંતુ દેશભરમાં એક તૃતિયાંશ મિલો બંધ થઇ ગઇ છે.
નોર્ધન ઇન્ડિયા ટેસ્ટટાઇલ મિલ્સ કોર્પોરેશન (NITMA)નો દાવો છે કે ભારતીય સ્પિનિંગ ઉદ્યોગ હાલ સૌથી મોટા સંકટથી પસાર થઇ રહ્યું છે. જેના કારણે મોટી સંખ્યામાં નોકરીઓ ખતમ થઇ રહી છે. અંગ્રેજી સમાચાર પત્ર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલ એક રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે દેશની એક તૃતીયાંશ સ્પિનિંગ મિલ બંધ થઇ ચૂકી છે, અને જે ચાલી રહી છે તે ભારે ખોટમાં ચાલી રહી છે.
એમની સ્થિતિ એવી છે કે તે ભારતીય કપાસ પણ ખરીદી શકે તેમ નથી. તેથી હવે કપાસની આગામી પાકનો કોઇ ખરીદદાર નહીં હોય. અનુમાન છે કે 80,000 કરોડ રૂપિયાનો કપાસ ઉગાડવામાં આવે છે, તેથી એની અસર કપાસના ખેડૂતો પર પણ પડશે.'
સોમવારને ફરીદાબાદ ટેક્સટાઇલ એસોસિએશનના અનિલ જૈન બતાવ્યું હતું કે ટેક્સટાઇલ સેક્ટરમાં 25થી 50 લાખ નોકરીઓ ખતમ થઇ ગઇ છે. પહેલી નજરે તો વિશ્વાસ ન આવે પરંતુ ટેક્સટાઇલ સેક્ટરની જાહેરાત બાદ આ મોટી ઘટના સામે આવી છે. સ્પિનિંગની નિકાસમાં 33 ટકાનો ઘટાડો થયો છે.