પીએમ મોદી આજે ગુરુવારે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની બરાબરી કરશે. વાજપેયી ભાજપના પહેલા નેતા હતા. તેઓએ 1998થી 2003ની વચ્ચે સતત 6 વાર લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસનું ભાષણ આપ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સતત છઠ્ઠી વાર સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપ્યું. જનાદેશ બાદ સત્તામાં પાછા આવ્યા બાદ લાલ કિલ્લા પરથી આ તેમનું પહેલું ભાષણ છે. પીએમ મોદી 15 ઓગસ્ટના પોતાના સંબોધનનો ઉપયોગ પૂર્વમાં સરકારની મહાત્વાકાંક્ષી યોજનાઓ જેમકે સ્વચ્છ ભારત, આયુષ્માન ભારત અને ભારતના અંતરિક્ષમાં પહેલા માનવ મિશનની જાહેરાત માટે કરી ચૂક્યા છે. આ ખાસ પ્રસંગે તેમના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસને રેખાંકિત કરવા અને પોતાની સરકારના કામકાજનો પણ તેઓ ઉલ્લેખ કરશે.
પાર્ટી નેતાઓનું માનવું છે કે હાલમાં થયેલી ચૂંટણીમાં ભાજપને મળેલી જીત અને ત્યારબાદ જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જો ગણાતી કલમ 370ને હટાવ્યા બાદ વિવાદ શક્ય હતો પરંતુ પાર્ટીના કોર એજન્ડાના પહલે સંસદે પણ મંજૂરી આપી અને પીએમના ભાષણની દિશા નક્કી થઈ ગઈ. ગયા અઠવાડિયે રાષ્ટ્રને જે સંદેશ આપ્યો તે સમયે ઘાટીના લોકોના વિકાસ અને શાંતિનો પણ દાવો કર્યો હતો. તેઓએ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કર્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનો નિર્ણય કર્યો. તેનાથી જે ચિંતાઓ સર્જાઈ તેને પણ દૂર કરવાની કોશિશ કરી હતી.
પીએમ મોદી આજે ગુરુવારે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની બરાબરી કરશે. વાજપેયી ભાજપના પહેલા નેતા હતા. તેઓએ 1998થી 2003ની વચ્ચે સતત 6 વાર લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસનું ભાષણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બતાશ વિપક્ષ ભાજપના પ્રભુત્વને હરાવવામાં નાકામ રહ્યું છે અને મોદીની સત્તા 2014ના મુકાબલે વધારે બહુમતિથી પાછી આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ અવસરે સુધાર કે સમાજના વિભિન્ન વર્ગોને રિયાયત આપવાનું એલાન પણ થઈ શકે છે.