એક પછી એક સાધુઓ બળાત્કારના કેસમાં બહાર આવતા જાય છે જ્યારે વધુ એક આવી જ ઘટના સામે આવી છે. દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શનિધામ મંદિરના સંસ્થાપક દાતી મહારાજ પર એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. મહિલાએ તેમની વિરુદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
આ અંગે પોલીસે જણાવ્યું કે યુવતીની ફરીયાદ પર દાતી મહારાજ સામે IPC કલમ 354 376 377 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. યુવતીએ તેની ફરીયાદમાં કહ્યું છે કે બે વર્ષ પહેલાં દાતી મહારીજે તેની સાથે મંદિરમાં રેપ કર્યો હતો.
પીડિતાએ જણાવ્યું કે રેપ કર્યા બાદ દાતી મહારાજે તેને આ વાત કોઇને નહી જણાવવાની ધમકી પણ આપી હતી. જ્યારે પીડિતાના પિતાએ જણાવ્યું કે તે સમયે તેમણે પોતાની દિકરીને દાતી મહારાજના સંરક્ષણમાં તેમના આશ્રમમાં જ છોડી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દુસ્કર્મનો આરોપ લાગ્યા બાદ દાતી મહારાજ દિલ્હી તેમના આશ્રમથી ગાયબ છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે યુવતીએ દાતી મહારાજ ઉપરાંત અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલસે આરોપીને શોધવાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.