ભારતમાં અમ્ફાન અને નિસર્ગ બાદ વધુ એક ચક્રાવાતનો ખતરો જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણના કારણે સર્જાઈ શકે છે. સ્પષ્ટ રીતે કહી શકાય નહીં કે આ ઓછું દબાણ ચક્રાવાતનું રૂપ લેશે કે નહીં. હવામાન વિભાગના અનુસાર 4-5 દિવસો સુધી તેની પર નજર રાખવામાં આવશે.
હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
ભારતમાં આવી શકે છે વાવાઝોડું
અમ્ફાન અને નિસર્ગ બાદ બંગાળમાં આવી શકે છે ચક્રાવાત
વાવાઝોડાને લઈને શક્ય છે આ ખતરો
દરિયામાં નીચા દબાણવાળા ક્ષેત્ર સામાન્ય રીતે કોઈપણ તોફાનનો પ્રથમ તબક્કો હોય છે. જો તે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય નહીં, તો પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં ઓડિશામાં 10 જૂનની આસપાસ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર આવતા અઠવાડિયે ઓડિશા તરફ આગળ વધી શકે છે. 'લો પ્રેશર એ ચક્રવાત પ્રવાહનો એક પ્રકાર છે અને તે ચક્રવાતનો પ્રથમ તબક્કો છે. જો કે તે જરૂરી નથી કે નીચા દબાણવાળા દરેક ક્ષેત્રમાં ઝડપથી વધારો કરીને ચક્રવાત બની શકે, પરંતુ હજુ પણ અમારી નજર તેના પર છે.
એક મહિનામાં 2 નવા વાવાઝોડા
છેલ્લા એક મહિનામાં દેશમાં 2 નવા વાવાઝોડા આવ્યા છે. વાવાઝોડું પહેલાં ગયા મહિને બંગાળ અને ઓરિસ્સામાં આવ્યું હતું. ભારતમાં આ સદીનું પહેલું સાયક્લોન હતું. પછી હવાની ગતિ ઘટી હતી. વાવાઝોડાથી બંગાળ અને ઓરિસ્સામાં નુકસાન થયું હતું. આ અઠવાડિયે અરબ સાગરમાં નિસર્ગ વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. આ વાવાઝોડાની ગતિ 120-130 કિમી/ કલાકની હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેનાથી ભારે નુકસાન થયું હતું.
ઓછા દબાણના કારણે ચોમાસાને થશે ફાયદો
બંગાળની ખાડીની ઉપર ચક્રાવાતી સ્થિતિની સંભાવનાના કારણે ચોમાસાને આગળ વધવામાં મદદ મળશે. બંગાળની ખાડી ઉપર ચક્રાવાતી પ્રવાહની સ્થિતિ ચોમાસામાં જોઈ શકાય છે. મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદ જોર પકડે તેવી શક્યતા છે.