દિલ્હી: જમ્મૂ-કશ્મીરમાં ભાજપે સરકારમાંથી સમર્થન પાછુ ખેંચ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જમ્મૂ-કશ્મીરની મુલાકાતે જશે. અમિત શાહ 23 જૂને બે દિવસીય પ્રવાસ માટે જમ્મૂ-કશ્મીર જશે. જ્યાં તેઓ ભાજપ કાર્યકર્તાઓ સાથે રેલી યોજી સભા કરશે. ભાજપની ચૂંટણી કમિટી સાથે પણ બેઠક કરશે અને ભાજપ નેતાઓ તેમજ સંઘ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરશે. આ મુલાકાત દરમિયાન જમ્મૂ-કશ્મીરની હાલની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કશ્મીરમાં ભાજપે સરકારમાંથી સમર્થન પરત ખેંચ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જમ્મૂ-કશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. અમિત શાહ 23 જૂને બે દિવસીય પ્રવાસ માટે જમ્મૂ-કશ્મીર જવાના છે અને જ્યાં તેઓ ભાજપ કાર્યકર્તાઓ સાથે એક રેલી યોજીને સભાને સંબોધન પણ કરવાના છે.
આ સાથે ભાજપની ચૂંટણી કમિટી સાથે પણ બેઠક કરવાના છે તેવું નજીકના રાજીકીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તે સિવાય અમિત શાહ જમ્મુ કન્વેશન સેન્ટરમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના 65માં શહીદી દિવસ પર બુધ્ધિજીવી સંમેલનના આયોજનમાં ઉપસ્થિત રહેશે.
આપને જણાવી દઇએ કે છેલ્લા એકમાસમાં એટલે કે રમઝાન માસમાં કેન્દ્ર સરકારે સીઝફાયર જાહેર કર્યું હતું.આ સાથે ઓપરેશન ઓલ આઉટ પણ બંધ કર્યું હતું. પરંતુ તેમ છતા પાકિસ્તાન દ્વારા સતત આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો જેમાં જમ્મુ-કાશ્મીરના કેટલાક લોકો ઘાયલ થયા હતા તો કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો.
આ તમામ ઘટનાનો ટોપલો દેશની વર્તમાન સરકાર પર ઢોળાઇ રહ્યો હતો. ત્યારે ગતરોજ ભાજપે કાશ્મીરની મહેબૂબા સરકાર સાથે છેડો ફાડવાનો નિર્ણય કરતા દેશના રાજકારણમાં ગરમાવો ફેલાઇ ગયો હતો અંતે ગઠબંધન વાળી સરકાર તૂટી હતી.
આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલ શાસન લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં મળતા અહેવાલ મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના હોવાથી અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.