એર ઈન્ડિયા બાદ હવે સરકારનો પ્રાઇવેટાઈઝેશન તરફ ઝુકાવ વધી ગયો છે. આ નાણાકીય વર્ષ પૂરું થવા સુધીમાં બીજી કેટલીક કંપનીઓ પ્રાઇવેટ કરવાની ફિરાકમાં છે સરકાર.
એર ઈન્ડિયાનું વેચાણ
પ્રાઇવેટાઈઝેશન પૂરપાટ
1.75 લાખ કરોડ રૂપિયા મળશે
એર ઈન્ડિયાના વેચાણ બાદ છેલ્લા 17 વર્ષમાં પહેલી વાર કોઈ સરકારી કંપનીનું પ્રાઈવેટાઈઝેશન થયું છે. આના પહેલા 2003-04 માં અટલ બિહારી વાજપેઈ સરકારમાં એનડીએ સરકારે જ પ્રાઈવેટાઈઝેશન કર્યું હતું અને હવે સરકાર દ્વારા આમાં વધારો થાય એવી સંભાવનાઓ વધી ગઈ છે.
નાણાંકીય વર્ષ 2021-22 માં એટલે કે માર્ચ 2022 સુધીમાં મોદી સરકારની યોજના અડધો ડઝન જેટલી કંપનીઓનું પ્રાઈવેટાઈઝેશન કરી દે તેવી સંભાવના છે.
1.75 લાખ કરોડ રૂપિયા મળશે
મોદી સરકાર દ્વારા પહેલેથી જ સુધારોન્મુખ અને પ્રાઈવેટાઈઝેશન તરફી ઝુકાવ ધરાવતી સરકારની ઇમેજ બનાવવામાં આવી છે. સરકારની નીતિ બનાવનાર લોકોનું માનવું છે કે કેટલાક સેક્ટર્સ એવા છે જેમાં સરકારી કંપનીઓની આવશ્યકતા નથી. સરકારને એવા બિઝનેસમાં પડવાની જરૂર નથી. અને કેટલીક કંપનીઓ સતત ખોટ કરી રહી છે તો એના કરતાં તો એનું પ્રાઈવેટાઈઝેશન કરી નાખવું જ બરાબર છે. અગાઉ થોડા સમય પહેલા જ ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ ના સચિવ તૂહીન કાન્ત પાંડેએ કહ્યું હતું કે સરકારના ઈન્વેસ્ટ્મેંટ્સ કાર્યક્રમ ફરી પાટે ચડી ગયા છે. જે કોરોનાની બીજી લહેરના કારણે ઠપ્પ થઈ ગયા હતા.
સરકાર દ્વારા આ વર્ષે 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવામાં આવે તેવી સંભાવના છે. પરંતુ હજુ સુધી સરકાર એક્સિસ બેન્ક એનએમડીસી, હુડકો વગેરેમાં ભાગીદારીથી 8,369 કરોડ રૂપિયા અને એર ઈન્ડિયાનાં વેચાણથી બીજા 18 હજાર કરોડ રૂપિયા મેળવે તેવી સંભાવના છે.
પેટ્રોલિયમ કોર્પોરેશનનું પ્રાઇવેટાઈઝેશન
તૂહીન કાન્ત પાંડેએ કહ્યું હતું કે આ વર્ષે એટલે કે માર્ચ 2022 સુધીમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનનું પ્રાઇવેટાઈઝેશન પૂરું કરવામાં આવશે. આ સિવાય સરકાર શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા BEML, પવન હંસ અને નીલાંચલ ઇસ્પાત નિગમ જેવી સંસ્થાઓનું પ્રાઇવેટાઈઝેશન કરવા માટે વિચારી રહી છે. જે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાનો પ્લાન છે. જો કે પીએસયુ બેન્કસ અને વીમા કંપનીઓના પ્રાઇવેટાઈઝેશનનો પણ પ્લાન રેડી જ છે પરંતુ કઈ બેન્કસ અને કઈ કંપનીઓ હશે તેનો કોઈ ખુલાસો કરવામાં નથી અવ્યો.
તેવી જ રીતે, કેબિનેટે IDBI બેંકની ડીસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને પણ મંજૂરી આપી દીધી છે. આ નાણાકીય વર્ષના અંત સુધીમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. છેલ્લા છ વર્ષમાં સરકાર સરકારી કંપનીઓના ડીસઇન્વેસ્ટમેન્ટથી 3.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરી ચૂકી છે. આ વર્ષના અંત ભાગ સુધીમાં એલઆઇસીના હિસ્સાને વેચવાની વાત ચાલી રહી છે અને સરકાર આઇપીઓ લઈને આવી રહી છે. સરકારે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ને પણ બજેટ દરમિયાન આઇપીઓ લિસ્ટિંગની યાદીમાં રાખી હતી. જેના કારણે સ્પષ્ટ છે કે આ નાણાકીય વર્ષમાં આ નહીં થઈ શકે.
LIC ડીસઇન્વેસ્ટમેન્ટ
સરકારે ભારતીય જીવન વીમા નિગમના ડીસઇન્વેસ્ટમેન્ટ માટે આ નાણાકીય વર્ષના અંત એટલે કે માર્ચ 2022 સુધીનો સમય નક્કી કરી રાખ્યો છે. એવું અનુમાન છે કે સરકાર 10% હિસ્સેદારી વેચીને 80 હજાર કરોડથી એક લાખ કરોડ રૂપિયા એકઠા કરી શકે છે.