રાજ્યમાં કોરોનાના કેસમાં રોજબરોજ વધારો થતો જાય છે, ત્યારે અમદાવાદ બાદ વડોદરામાં ટ્યુશન ક્લાસીસ આવતીકાલથી બંધ, સુરતમાં કર્ફ્યૂનો સમય 9થી 6 કરાયો
વડોદરામાં આવતીકાલથી ટ્યૂશન ક્લાસીસ બંધ
આવતીકાલથી કોચીંગ ક્લાસીસ બંધ રહેશે
કોરોના કેસ વધતા વડોદરા મનપા દ્વારા નિર્ણય
અમદાવાદ અને સુરતની સાથે વડોદરામાં કોરોનાના વધતા જતાં કહેરને લીધે કાર્યવાહી કરવામાં આવી છે. આવતીકાલથી ટ્યૂશન ક્લાસીસ બંધ રહેશે. કોરોના કેસ વધતા વડોદરા મહાનગર પાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરતમાં પણ કર્ફ્યૂનો સમય વધાર્યો
અમદાવાદ બાદ સુરત મનપાએ પણ કર્ફ્યૂનો સમય વધાર્યો છે. રાત્રીના 9થી 6 વાગ્યા સુધી સુરતમાં કર્ફ્યૂ જાહેર કરાયું છે. મહત્વનું છે કે, સુરતમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં પણ શનિ-રવી તમામ મોલ-સિનેમા બંધ રાખવાનો આદેશ કરાયો છે.
સુરતની નર્મદ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ
સુરતની નર્મદ યુનિની તમામ પરીક્ષા પણ મોકૂફ કરી દેવાઈ છે. આજથી નર્મદ યુનિની શરૂ થનારી પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. પરીક્ષાનો નવો કાર્યકામ હવે પછી જાહેર કરાશે. યુનિવર્સિટીની વેબસાઈટ પર પરીક્ષા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે. શહેરમાં કોરોના કેસ વધતા નિર્ણય લેવાયો છે.
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંકટ વધુ ઘેરાઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1276 નવા દર્દી જ્યારે 899 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વઘી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ અંગે સુરતના મેયર હેમાલી બોધાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં ગાર્ડન, જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. સીટી બસ, BRTSને બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત વેક્સિનેશનની કામગીરી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ વિપક્ષે સત્તા પક્ષ પર ફક્ત ફક્તને તાયફા કરવાનો આક્ષેપ કર્યો હતો.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 324 કેસ અને ગ્રામ્યમાં 71 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 298 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 111 કેસ, જ્યારે ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 98 કેસ અને ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે. ત્યારે જાણો24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...