અહેમદ પટેલના નિધન બાદ રાજ્યસભાની સીટ ખાલી પડી છે. ગુજરાતમા વધારે એક વખત રાજ્યસભાની સીટ ખાલી પડી છે. ખાલી પડેલી રાજ્યસભા સીટ ભાજપ જીતી શકે છે.
અહેમદ પટેલના નિધન બાદ રાજ્યસભાની સીટ ખાલી પડી
ગુજરાતમા વધારે એક વખત રાજ્યસભાની સીટ ખાલી પડી
ખાલી પડેલી રાજ્યસભા સીટ ભાજપ જીતી શકે
નિયમ પ્રમાણે છ મહિના પહેલા રાજ્યસભાની સીટ પર ચૂંટણી કરવી પડશે. કોઇ ઉમેદવારે જીતવા માટે 91 મતની જરુર પડશે. ત્યારે ભાજપ પાસે 111 ધારાસભ્યનું સંખ્યા બળ છે. અને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યનું જ સંખ્યાબળ છે. હવે આવનારી રાજ્યસભાની ચૂટંણીમાં અપક્ષ-એનસીપી-બીટીપીના મતનું મહત્વ નહી રહે. 2017માં રાજ્યસભાની ચૂંટણી વખતે કાંટાની ટક્કર થઇ હતી.
છેલ્લી રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા જેને પગલે કોંગ્રેસનું સંખ્યાબળ વધુને વધુ ઓછુ થઈ રહ્યું હતુ.
કોણ છે રાજ્યસભાના અધ્યક્ષ
ભારતનાં બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનાં અધ્યક્ષ છે. રાજ્યસભાનાં સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્યસભાની પ્રથમ બેઠક 13મે 1952માં મળી હતી.
19મી જૂને રાજ્યસભાની ચાર બેઠક વચ્ચે ચૂંટણી યોજાઈ હતી
ભાજપના 3 ઉમેદવારો વચ્ચે કુલ 104 મત મળ્યા છે. જેમાં નરહરિને 32 મત મળ્યા હતા તો અભય ભારદ્વાજને 36 અને રમીલા બેનને 36 મત મળ્યા હતા. તો કોંગ્રેસની વાત કરીએ તો બંન્ને ઉમેદવારો વચ્ચે કુલ 66 મત મળ્યા હતા. જેમાં ભરતસિંહ સોલંકીને 30 મત અને શક્તિસિંહ ગહિલને 36 મત મળતા શક્તિસિંહ ગોહિલની જીત પાક્કી થઇ હતી અને કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકી ચૂંટણીમાં હાર્યા હતા. કોંગ્રેસને મળેલા 66 મત પૈકી 65 કોંગ્રેસના ધારાસભ્યોના તથા 1 મત અપક્ષનો જીગ્નેશ મેવાણીનો મળ્યો હતો.
કયા કયા સાંસદની ટર્મ પુરી થઈ હતી?
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી (ભાજપ)
વડોદિયા લાલસિંહ (ભાજપ)
ગોહેલ ચુનીભાઇ (ભાજપ)
મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
શું છે રાજ્યશભાનું સંખ્યાબળ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્ઝન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે. ગુજરાતમાં 4 બેઠક ઉપર આ ચુંટણી થવાની છે જેમાં ભાજપાની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર ચુંટણી થવાની છે.