બોલિવૂડ એક્ટર આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવના ડિવોર્સના સમાચારે બધાંને ચોંકાવી દીધા છે. બંનેએ તેમના 15 વર્ષના લગ્નજીવનને સમાપ્ત કરી દીધા અને કહ્યું કે, તેમણે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
આમિર અને કિરણના ડિવોર્સ બાદ આ એક્ટ્રેસ પર ભડક્યા લોકો
આ એક્ટ્રેસને તેમના લગ્નજીવનના ભંગાણનું કારણ ગણાવી
કપલે કહ્યું- તેમણે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે
આમિર અને કિરણના ડિવોર્સના સમાચારથી બોલિવૂડ પણ ચોંકી ગયું છે. બંનેની જોડીને એક આદર્શ જોડી માનવામાં આવતી હતી અને આ કપલના અચાનક અલગ થવાના સમાચાર ઘણાં લોકો માટે આશ્ચર્યજનક નિર્ણય હતો. ત્યારે આમિર અને કિરણના ડિવોર્સના સમાચારો વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખનું નામ વચ્ચે આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર આમિર અને કિરણના ડિવોર્સના સમાચાર વાયર થતાં જ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ ફાતિમા સના શેખ અને લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. લોકોએ અભિનેત્રીને એટલી ટ્રોલ કરી કે તેનું નામ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. લોકોનું માનવું છે કે આ આમિર અને કિરણના ડિવોર્સ ફાતિમા સના શેખને કારણે જ થયા છે.
આમિરને પોતાનો ગુરુ માને છે ફાતિમા
ફાતિમા સના શેખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે આમિરને તેનો માર્ગદર્શક અને લાઈફ ગુરુ માને છે, પરંતુ ડિવોર્સના સમાચારો પછી લોકો સોશિયલ મીડિયા પર આમિર અને ફાતિમાના કથિત લિન્કઅપ પર ખૂબ ગોસિપ કરી રહ્યાં છે.