નવસારીના રાનવેરી ગામે પિતરાઈ ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે માથાકૂટ થયા બાદ પિતરાઇ ભાઈએ ભાઈની હત્યા કરતાં ચકચાર મચી છે.
નવસારીમાં પિતરાઈ ભાઈએ ભાઈની કરી હત્યા
રાનવેરી ગામે ભાઈઓ વચ્ચેની લડાઈમાં ભાઈની હત્યા
ચિતાલી ગામે લાકડાની મજૂરીમાં ગયા હતા કૌટુંબિક ભાઈઓ
નવસારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાના પુરાવા સમાન વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં નવસારીના રાનવેરી ગામે યુવાનની હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. રાનવેરી કલ્લા ગામે પિતરાઈ ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે માથાકૂટ થઇ હતી. જે ડખ્ખોએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધા બાદ તેનો લોહીયાળ અંત આવ્યો હતો. બોલાચાલી બાદ બબાલને લઇ આરોપી વિશાલે કલ્પેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સામાન્ય બાબતે યુવાનની લોથ ઢળતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.
ઝઘડામાં વિશાલે પિતરાઈ ભાઈ કલ્પેશની કરી હત્યા
નવસારી જિલ્લાના રાનવેરી ગામના પિતરાઈ ભાઇઓ ચિતાલી ગામે લાકડાની મજૂરીમાં ગયા હતા. આ દરમિયાન કૌટુંબિક ભાઈઓ વિશાલ, કલ્પેશ અને હિતેશ વચ્ચે કોઇ કારણસર લડાઇ થઇ હતી. ત્યારબાદ ઘરે પહોંચેલા વિશાલ પટેલે પિતરાઈ ભાઈઓ સાથે ઝઘડો કર્યો હતો. જેમાં સયંમ ખોઇ બેઠેલાઆરોપી વિશાલે પિતરાઈ ભાઈ કલ્પેશની હત્યા કરી નાખી હતી. હત્યાના વારદાતને અંજામ આપી હત્યારો આરોપી વિશાલ ઘટના સ્થળેથી ફરાર નાશી છૂટયો હતો. આ અંગે જાણ થતાં લોકોના ટોળે ટોળા એક્ઠા થઇ ગયા હતા. બીજી બાજુ ચીખલી પોલીસને જાણ કરાતા પોલીસ દોડી ગઈ હતી. જયા ઉપસ્થીતોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને હત્યારા સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
તાજેતરમાં નવસારીના નારણપોર ગામે પિતાએ કરી હતી પુત્રની હત્યા
અઠવાડિયા અગાઉ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નારણપોર ગામે હચમચાવી નાખે તેવો હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પિતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.નારણપોર ગામે ઝઘડિયા ફળિયામાં રહેતા આરોપી પિતાએ પુત્ર ભરનિંદરમાં સૂતો હતો આ વેળાએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પુત્રને પરલોક પહોંચાડી દીધો હતો. જેમાં નારણપોર ગામે રહેતા ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને પુત્ર ગણેશ કાઇ કામ ધંધો કરતો ન હતો. જેને લઈ રૂપિયાની ખેંચ પડતી હોવાથી અવારનવાર પોતાના પિતા પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. આ બાબતને લીધે બને પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. જેને લઈને કંટાળી ગયેલા પિતા ભગુ પટેલએ ઉગ્ર બનીને નિંદ્રાધીન ગણેશ પર કુહાડીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. આમ અઠવાડિયા બાદ વધુ એક હત્યાનો બનાવ સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.