રાજ્યામાં ફરી વેક્સિનેશન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે.આજથી રાજ્યમાં તમામ વેક્સિન સેન્ટરો પર વેક્સિન આપવામાં આવનાર છે.
ત્રણ દિવસ બાદ ફરી શરૂ થયુ વેક્સિનેશન
રાજ્યના તમામ સેન્ટરો અપાશે કોરોનાની રસી
મમતા દિવસથી બંધ હતું વેક્સિનનેશન અભિયાન
રાજ્યામાં ફરી વેક્સિનેશન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે.આજથી રાજ્યમાં તમામ વેક્સિન સેન્ટરો પર વેક્સિન આપવામાં આવનાર છે.
મમતા દિવસથી બંધ હતા વેક્સિન સેન્ટરો
કોરોના વેક્સિનેશનને વ્યાપક બનાવવા આજથી ફરી મહાવેક્સિનેશનનો પ્રારંભ થયો છે વેક્સિન પ્રક્રિયાને રાજ્યવ્યાપી બનાવવા 21 જૂનથી મહાવેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યા હતો પરતું બુધવારે મમતા દિવસ હોવાથી વેક્સિન બંધ રાખવામાં આવ્યું હતું
રાજ્યમાં ફરી વેક્સિનેશન સેન્ટરો ખુલ્યા
જે બાદ વેક્સિનની અછતને પગલે વધુ બે દિવસ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતું એટલે 7 જૂલાઈથી 9 જૂલાઈ દરમિયાન વેક્સિનનેશનની પ્રક્રિયા સંપૂર્ણ બંધ રહી હતી પરતું હવે વેક્સિનનો પૂરતો સ્ટોક આવી જતા ફરીથી વેક્સિનેશને પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજથી રાજ્યના તમામ સેન્ટરો પર કોરોનાની રસી આપવામાં આવનાર છે.
ત્રીજી લહેરનો ખતરો યથવાત
જો કે હવે રાજ્યમાંથી કોરોના સંકટ ટળી રહ્યું છે રાજ્યમાં સતત કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે રોજ આવતા કોરોના કેસની સંખ્યા સતત ઘટી રહી છે. છતા પણ ત્રીજી લહેરની આશંકા સેવવામાં આવીતી હોવાથી કોરોનાને હળવો જોઈએ નહીં તે માટે વેક્સિનેશન જરૂરી થઈ પડી છે
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 56 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે કોરોનાથી 196 લોકોએ મ્હાત આપી સાજા થયા છે તો હજું પણ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1300થી વધુ છે જે પૈકી 8 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 1348 લોકો સ્ટેબલ છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 8,12,718 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે.