ગ્રહોના રાજા સૂર્ય એક મહિનામાં રાશિ બદલે છે. આ સમયે સૂર્ય વૃષભ રાશિમાં છે અને આગામી 15 જૂને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યની રાશિનું પરિવર્તન કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થવાનું છે.
15 જૂને સૂર્ય રાશિ પરિવર્તન કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે
વૃષભ, સિંહ અને કન્યા રાશિને થશે ફાયદો
સૂર્યનો સીધો સંબંધ સફળતા, સન્માન, પિતા, ગુરુ, સરકાર-પ્રશાસન, સ્વાસ્થ્ય સાથે
સૂર્ય કરશે રાશિ પરિવર્તન
સૂર્ય ગોચર જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યનો સંબંધ સફળતા, સન્માન, પિતા, ગુરુ, સરકાર-પ્રશાસન, સ્વાસ્થ્ય સાથે છે. એટલે જ સૂર્યની રાશિ પરિવર્તનથી જીવન પર મોટી અસર પડે છે. 9 દિવસ પછી 15 જૂને સૂર્ય રાશિ પરિવર્તન કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સૂર્યનો બુધની રાશિમાં પ્રવેશ કેટલાક લોકો માટે ભાગ્યશાળી તો કેટલાક લોકો માટે અશુભ સાબિત થશે. જાણો કઈ રાશિ માટે મિથુન રાશિનો સૂર્ય આપશે શુભ ફળ.
આ રાશિઓની મળશે લાભો
વૃષભ રાશિ :
વૃષભ રાશિના જાતકોને સૂર્યના ભ્રમણનો ઘણો લાભ થશે. તેમને અટવાયેલા પૈસા મળશે. તેનાથી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત થશે. ઘણા દિવસોથી ચાલી રહેલી આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળશે. વાણીના દમના આધારે કામ થશે. નવી જોબ ઓફર આવી શકે છે. નોકરીમાં પરિવર્તન તમારી પ્રગતિના દ્વાર ખોલશે. વેપારીઓને પણ ફાયદો થશે.
સિંહ રાશિ :
સિંહ રાશિને સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી આવકમાં વધારો થશે. પૈસા આવવાના નવા રસ્તા બનશે. અચાનક ધનલાભ થશે. ઉદ્યોગપતિઓનો નફો વધશે. જે લોકો રોકાણ કરવા માંગે છે, તેઓ આ સમયનો લાભ લેજો. આ સમય નવા કોન્ટ્રાક્ટ અથવા સોદા કરાવશે. જે ફાયદાકારક સાબિત થશે.
કન્યા રાશિ :
સૂર્યદેવનો મિથુન રાશિમાં પ્રવેશ કન્યા રાશિના લોકોને કારકિર્દી માટે શુભ સાબિત થશે. આ સમય નવી નોકરી અપાવી શકે છે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટની પણ પ્રબળ શક્યતાઓ છે. તમારું કામ કાજ સારું ચાલશે, લોકો તમારા વખાણ કરશે. ઉચ્ચ અધિકારીઓ સહકાર આપશે. માન-સન્માન વધશે.