50 વર્ષે લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો; યુવા અવસ્થામાં હત્યા કરનાર આરોપીને વૃદ્ધાવસ્થામાં ઝડપીને પોલીસે મોટી સફળતા મળેવી
50 વર્ષે લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો
મહારાષ્ટ્રથી આરોપીની કરાઈ ધરપકડ
ભાડુઆત બનીને લૂંટ અને હત્યા કરી હતી
પાંચ દાયકા બાદ મર્ડર મિસ્ટ્રી ઉકેલીને સરદારનગર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. 50 વર્ષ પહેલાં વૃદ્ધ મહિલાની હત્યા કરી હતી. યુવા અવસ્થામાં હત્યા કરનાર આરોપીને વૃદ્ધાવસ્થામાં ઝડપીને પોલીસે મોટી સફળતા મળેવી છે
50 વર્ષે લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો
એક વૃદ્ધએ યુવા અવસ્થામાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરીને લૂંટને અંજામ આપ્યો હતો. 50 વર્ષ બાદ આ હત્યારો પોલીસની પકડમાં આવ્યો છે, કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાથીર હોય પણ પોલીસ તેને શોધી જ કાઢે છે તેવી જ રીતે 50 વર્ષે બાદ હત્યાનો આરોપી પકડાયો છે. 26 વર્ષે લૂંટ અને હત્યા કરનાર આરોપી સીતારામને 76 વર્ષે મહારાષ્ટ્રથી પકડાયો છે. અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં 50 વર્ષ પહેલા 26 વર્ષના યુવાને એક સિનિયર સિટીઝન મહિલાની હત્યા કરી ઘરમાંથી વાસણો ચોરીને ભાગી ગયો હતો ત્યારબાદ તેણે ઘણી નાની મોટી ચોરી કરી પણ પોલીસના હાથે ના ચડ્યો પરંતુ આ વખતે વિધાનસભા 2022ની ચૂંટણી 50 વર્ષ બાદ હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ થઈ છે પરંતુ હવે 26 વર્ષે હત્યા કરેલો આરોપી અત્યારે 76 વર્ષનો થઈ ગયો છે. સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
મહારાષ્ટ્રથી આરોપીની કરાઈ ધરપકડ
50 વર્ષે આરોપીને પકડવાની કહાની તો ફિલ્મોને પણ ટક્કર મારે તેવી છે. ગુજરાતની ચૂંટણીને લઈને DGPએ વોન્ટેડ આરોપીને પકડવાનો આદેશ આપ્યો હતો. સરદારનગર પોલીસની નજર 50 વર્ષ જુના હત્યા અને લૂંટના વોન્ટેડ આરોપી પર પડી. આ આરોપી મહારાષ્ટ્રનો રહેવાસી હતો. પોલીસની એક ટિમ વોન્ટેડ આરોપીને પકડવા મહારાષ્ટ્ર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે આરોપી સીતારામ ગામમાં એક વિધવા મહિલા પર દુષ્કર્મ કર્યું હતું પણ વિધવા મહિલાએ પોતાની આબરૂ બચાવવા આ અંગે ફરિયાદ કરી ન હતી એટલે સીતારામ ત્યાંથી ભાગી ગયો હતો ત્યારબાદ તે તેના કાકાના બે વર્ષના દીકરાને રમાડવા લઈ ગયો હતો અને ખેતરમાં તેના કાનની બુટ્ટીઓ કાઢીને ચોરી કરી ભાગી ગયો હતો. આ બાતમીના આધારે સરદારનગર પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદ લીધી અને આરોપી સિતારામની ધરપકડ કરી છે.
ભાડુઆત બનીને લૂંટ અને હત્યા કરી
હત્યા અને લૂંટ કેસની ઘટના એવી છે કે આરોપી સીતારામ યુવાન હતો અને તેના 2 મિત્રો સાથે અમદાવાદ રહેવા આવ્યો હતો 1973માં સપ્ટેમ્બર મહિનાની આ વાત છે. અમદાવાદના સરદારનગરમાં સૈજપુરમાં આવેલા 70 વર્ષના મણીબેન શુક્લા રહેતા હતા જેમના ઉપરના માળે આ આરોપી અને તેના 2 મિત્રોએ મકાન ભાડે રાખ્યું હતું. આ યુવકોમાં મહાદેવ, નારાયણ અને સીતારામ હતા. આ ત્રણેય યુવકો નાનું મોટું કામ કરીને જીવન જીવતા હતા જેમાં સીતારામ ચોરી કરવાની આદત વાળો હતો.
પોલીસે કરી ધરપકડ
14 સપ્ટેમ્બર 1973ના દિવસે સીતારામ અન્ય દિવસોની જેમ કામકાજ કરવાની પ્રયાસ કરતો હતો પણ કોઈ કામ ન મળતા તેને ચોરી કરવાનું નક્કી કર્યું તે દિવસે તે બપોરના પોણા ત્રણ વાગે મણીબેનના ઘરમાં ઘૂસ્યો અને ઘરમાંથી વાસણો અને કપડાની ચોરીનો પ્રયાસ કરતો હતો આ દરમ્યાન મણીબેન જાગી જતા સીતારામ એ તેમના પર હુમલો કર્યો અને તે સમયે તે બેભાન થઈ ગયા હતા અને નીચે પડી ગયા હતા એટલે સીતારામ ઘરમાંથી વસ્તુઓ ચોરી અને ભાગી ગયો હતો. બીજા દિવસથી આ ઘરમાં કોઈ હલચલ દેખાતી ન હતી બે દિવસ બાદ આસપાસના લોકોએ ઘરમાંથી દુર્ગંધ મારતી હોવાની ફરિયાદ થતા સ્થાનિક પોલીસ મણીબેનના ઘરમાં પહોંચી હતી જ્યાં મણીબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે ભાડુઆત ફરાર થઈ જતા પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો. જેનો ભેદ 50 વર્ષે ઉકેલાયો છે.