આ વર્ષે 499 વર્ષ બાદ હોળીનો તહેવાર સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે, આ સમયે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે.
499 વર્ષ બાદ બનશે દુર્લભ સંયોગ
હોળીનો તહેવાર સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે
અમૃત સિદ્ધિ યોગ પણ બનશે આ દિવસે
આ વર્ષે હોળીના દિવસે 499 વર્ષો બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. 29 માર્ચે હોળીના દિવસે કન્યા રાશિમાં ચંદ્ર વિરાજમાન રહેશે. ગુરુ અને શનિ બંને પોતાની ગ્રહ રાશિમાં રહેશે. રંગોનો તહેવાર હોળી આ વર્ષે સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે. આ સમયે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષવિદ્ કહે છે આ વખતે હોળી પર ધ્રૂવ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષના અનુસાર આ રીતના ગ્રહોનો યોગ 499 પહેલા 3 માર્ચ 1521એ બન્યો હતો. હોળી આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉજવાશે. હોળી પર અમૃતસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે.
હોળાષ્ટકમાં ફેલાય છે નકારાત્મક ઉર્જા, પૂજા પાઠનું રહે છે વિશેષ મહત્વ
હોળાષ્ટકના સમયે ગ્રહોની નકારાત્મકતા વધવાથી 8 દિવસ સુધી વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેશે. ગ્રહ નક્ષત્રના નબળા હોવાના કારણે આ સમયે જાતકની નિર્ણયની ક્ષમતા ઘટે છે. હોળાષ્ટકના સમયે પૂજા પાઠનું ખાસ મહત્વ હોય છે. હોળાષ્ટકના સમયમાં સીઝનમાં ફેરફાર હોય છે. આ માટે દિનચર્યાને અનુશાસિત રાખો તે જરૂરી છે.
હોળાષ્ટકનો આરંભ
પંચાગ અનુસાર હોળાષ્ટકનો આરંભ 22 માર્ચથી થશે. આ દિવસ ફાગણ મહિનાની શુક્લની અષ્ટમી તિથિએ રહેશે. જ્યોતિષના આધારે ચંદ્રમા મિથુન રાશિમાં વિરાજમાન રહેશે અને આ દિવસે આદ્રા નક્ષત્ર રહેશે. જ્યોતિષના આધારે હોળાષ્ટકનું સમાપન હોળિકા દહનના દિવસે થાય છે. આ સમયે વિવાહનું કોઈ મૂહૂર્ત હોતું નથી. આ દિવસમાં કોઈ માંગલિક કામો થઈ શકતા નથી. નવા ઘરમાં પ્રવેશ પણ આ દિવસોમાં કરવો નહીં. ભૂમિ પૂજન પણ આ દિવસમાં કરવું નહીં. નવવિવાહિતાએ આ દિવસમાં પિયરમાં રહેવાનું યોગ્ય છે.
હોળીનું શુભ મૂહૂર્ત
આ વર્ષે રવિવાર 28 માર્ચ 2021એ હોળિકા દહન થશે. તેનું મૂહૂર્ત સાંજે 6.38 મિનિટથી લઈને 8.56 મિનિટ સુધી રહેશે. આ સાથે જ રંગનું પર્વ ધૂળેટી 28 માર્ચ 2021એ સવારે 03 વાગીને 27 મિનિટથી શરૂ થશે અને 29 માર્ચ 2021એ રાત્રે 12 વાગીને 17 મિનિટ પર સમાપ્ત થશે.
499 વર્ષ પછી બન્યો આવો દુર્લભ સંયોગ
હોળીનો તહેવાર હિંદુ ઘર્મમાં મહત્વનો માનવામાં આવે છે. આ વર્ષે 29 માર્ચ એટલે કે હોળીના દિવસે કન્યા રાશિમાં ચંદ્ર વિરાજમાન રહેશે. ગુરુ અને શનિ બંને પોતાની ગ્રહ રાશિમાં રહેશે. જ્યોતિષીઓના અનુસાર આ વિશેષ યોગ માનવામાં આવી રહ્યો છે. જાણકારો કહે છે કે આવો યોગ 499 પહેલા 3 માર્ચ 1521એ બન્યો હતો. આ રીતે આ વર્ષે સર્વાર્થસિદ્ધિ યોગની સાથે જ અમૃત સિદ્ધિ યોગમાં પણ તહેવારની ઉજવણી કરાશે.