મેઘાલયનાં ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં એક ગેરકાયદેસર રૈટહોલ ખાણમાં 13 ડિસેમ્બરનાં રોજ ફસાયેલ 15 શ્રમિકોને બચાવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે 36 દિવસ બાદ આજે નૌસેનાને એક શ્રમિકનો મૃતદેહ મળ્યો છે. મહત્વનું છે કે 13 ડિસેમ્બરે ખીણમાં અચાનક પાણી આવી જતાં શ્રમિકો ફસાઈ ગયાં હતાં.
અત્યાર સુધી શ્રમિકોને બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. જો કે તે તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યાં. અત્યાર સુધી 370 ફૂટ ઉંડી ખીણમાંથી એક કરોડ લીટર પાણી કાઢવામાં આવ્યું છે. જો કે જળસ્તરમાં કોઈ ફેરફાર દેખાતો નથી.
Meghalaya: Operation continues to rescue the miners who have been trapped in a mine at Ksan near Lyteiñ River in East Jaintia Hills one body has been recovered. The miners are trapped since 13th December. #meghalayaminerspic.twitter.com/trqWsHmzwc
આ બચાવ અભિયાનમાં અનેક સરકારી એન્જસીઓ અંતર્ગત 200 કર્મચારીઓ કામે લાગ્યાં છે. જેમાં નૌસેના અને NDRFની ટીમ ઉપરાંત કોલ ઈન્ડિયા અને કિર્લોસ્કર બ્રધર્સનાં કર્મચારીઓ પણ શામેલ છે. તો આ બચાવ અભિયાનની દેખરેખ સુપ્રિમ કોર્ટ કરી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટે શ્રમિકોને જીવંત કે મૃત બહાર કાઢવાનો નિર્દેશ કર્યો છે.
ગઈ સાલની ૧૩ ડિસેમ્બરથી અંદર ફસાયેલાં ૧૫ મજૂરો શોધવા માટે કવાયત ચાલી રહી છે. આ માટે હેવી કેપિસિટીનાં બે સબમર્સિબલ પમ્પ દ્વારા મુખ્ય સાફટમાંથી પાણી કાઢવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ આ કોશિશ નિષ્ફળ રહી હતી. નેવી સાથે એનડીઆરએફના ડાઈવર્સ પણ આ બચાવ અભિયાનમાં મદદ કરી રહ્યા છે. આ ટુકડીને રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ત્રણ હેલ્મેટ મળી હતી.
હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓ ફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સીએસઆઈઆર અને ગ્રેવિટી ફંડ મેગ્નેટિક ગ્રૂપનાં નિષ્ણાંતોની એક ટીમ પણ બચાવકાર્યમાં લાગેલી છે. ૩૭૦ ફૂટ ઊંડી ખાણમાંથી એક કરોડ લિટર પાણી બહાર કાઢવામાં આવ્યું છે.
આ ઉપરાંત આસપાસની અન્ય ખાણમાંથી પણ બે કરોડ લિટર પાણી બહાર કાઢવામાં આવ્યું છે. ઓડિશા ફાયર સેફ્ટીની ટીમ ઉપરાંત ખાનગી કંપની કિર્લોસ્કરની ટીમ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૩ ડિસેમ્બર ૨૦૧૮નાં રોજ ૩૭૦ ફૂટ ઊંડી કોલસાની ખાણમાં નદીનું પાણી ભરાઈ જવાથી સુરંગનો રસ્તો બંધ થઈ ગયો હતો અને ત્યારથી તેમાં ફસાયેલાં ૧૨ ખાણ મજૂરને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે.