બાલાકોટ એરસ્ટ્રાઈકના 32 દિવસ બાદ પાકિસ્તાનની સેના પત્રકારોને આ સ્થળની મુલાકાત કરવા લઈ ગયા હતા. જો કે, અહિંયા આવેલા પત્રકારોને સર્ચ દરમિયાન કંઈ ખાસ વસ્તુ હાથમાં ન આવતા નિરાશ થયા છે. બાલાકોટના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાકિસ્તાની અર્ધ લશ્કરીદળો તૈનાત છે અને તેઓ અમૂક વિસ્તારમાં કોઈને જવા દેતા નથી. હાલ પાકિસ્તાન સેનાએ પત્રકરોને આ મદરેસાની મુલાકાત કરાવી હતી અને તે મદરેસામાં 300 બાળકો હોવાની વાત સામે આવી છે.
બાલાકોટ પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સરકાર હેરાન છે અને તેને લઈને તેમને આ સ્ટ્રાઈકના પુરાવા બતાવવા માટે પત્રકારોને સ્થળની મુલાકાત કરાવી હતી. આ મદરેસાની મુલાકાત હુમલાના 32 દિવસ બાદ કરાવી હતી. આ પહેલા સરકારે કહ્યું કે, બાલાકોટમાં વાતાવરણ ખરાબ હોવાના કારણે ત્યા કોઈ જઈ શકે તેમ નથી. જેને લઈને આજે તમામ પત્રકારોને મુલાકાત કરાવાઈ હતી અને તેમાં પણ અમુક વિસ્તારોમાં મુલાકાત ન કરાવવાના કારણે પત્રકારો નિરાશ થયા હતા.
આ તમામ લોકોને હેલિકોપ્ટર મારફતે લઈ જવાયા હતા. હાલ આ મદરેસામાં 300 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકો સાથે પત્રકારોને વાતચિત કરાવાઈ હતી અને તમામ લોકોએ આ સ્થળના ન્યુઝ બનાવ્યા હતા. એક અહેવાલ પ્રમાણે હાલ પણ અમૂક વિસ્તારને ઢાંકીને રાખવામાં આવ્યો છે અને ત્યા કોઈની મુલાકાત કરવા દેવામાં આવતી નથી.
ઉલ્લેખનિય છે કે 28 ફેબ્રુઆરીના રોજ ભારતીય સેનાએ પુલવામાનો બદલો લેવા પાકિસ્તાનમાં જઈને બાલાકોટ સ્થિત મદરેસા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1 હજાર કિલો બોમ્બ નાંખવામાં આવ્યા હતા અને 300 કરતા વધારે આતંકીઓ માર્યા ગયાના અહેવાલ હતા, પરંતુ પાકિસ્તાન સરકારે આ વાતની મનાઈ ફરમાવી હતી. તે સમયે એવી વાત કરાઈ હતી કે, પત્રકારોને આ સ્થળની મુલાકાત કરાવાશે તે મુલાકાત આજે કરાવાઈ હતી.
સૂત્રો મુજબ આ જગ્યા પર આતંકીઓની ટ્રેનિગ ચાલતી હતી અને તેના પર હુમલો કરાયો હતો અને પાકિસ્તાન સરકારે 32 દિવસ આ તમામ વસ્તુઓ ઠેકાણે કરીને પછી જ તમામ મીડિયાને બોલાવી હોવાની વાતે જોર પકડ્યું છે અને હવામાન હજુ પણ ખરાબ છે તેમ છતા કેમ આ હવે આ સ્થળની મુલાકાત કરાવાઈ છે અને તેમાં પણ સંપૂર્ણ રીતે પત્રકારોને ખુલ્લા મુકવામાં આવ્યા ન હતા.