ઈશા ફાઉંડેશનના સંસ્થાપક તથા આધ્યાત્મિક ગુરૂ સદગુરુએ ભવિષ્યમાં ભારતના કૃષિ ક્ષેત્રને લઈને ચોંકાવનારી વાતો કહી છે.
ઈશા ફાઉંડેશનના સંસ્થાપકે ખેતીને લઈને કહી આ વાત
ખેતી સાથે જોડાયેલા લોકોનું ભવિષ્ય અંધાકરમય
2 ટકા લોકો પણ પોતાના દિકરાને ખેતી કરાવવા નથી માગતા
ઈશા ફાઉંડેશનના સંસ્થાપક તથા આધ્યાત્મિક ગુરૂ સદગુરુએ ભવિષ્યમાં ભારતના કૃષિ ક્ષેત્રને લઈને ચોંકાવનારી વાતો કહી છે. સદગુરૂએ કહ્યુ છે કે, આગામી 25 વર્ષમાં ભારતમાં કોઈ પણ ખેડૂત નહીં રહે. તેમણે પોતાના સંગઠનના એક સર્વેમાં આ પ્રકારનો દાવો કર્યો છે. સદગુરૂએ ભવિષ્યવાણી કરી છે કે, ભારતમાં ખેતી આકર્ષક નહીં બનાવામા આવે તો, તેના ગંભીર પરિણામ આવશે.
ખેતી સાથે જોડાયેલા લોકોનું ભવિષ્ય ધૂંધળું
સદગુરૂએ કહ્યું છે કે, ભારતમાં કૃષિ સાથે જોડાયેલા લોકો પોતાની જમીન પર રહીને પોતાનું કરિયર બનાવી શકતા નથી. પરિણામ એ આવ્યું કે, ખેડૂતોની 63 ટકા વસ્તીમાંથી 2 ટકા પણ એવા નથી, જે ભવિષ્યમાં ખેતી સાથે જોડાઈ રહેવા માગે છે.
સરકારે જો નીતિઓમાં ફેરફાર ન કર્યો તો ભયંકર પરિણામ આવશે
આધ્યાત્મિક ગુરૂ તથા ઈશા ફાઉંડેશનના સંસ્થાપકે પોતાના સંગઠને કરેલા એક સર્વેના ડેટાનો ઉલ્લેખ કર્યો.સદગુરૂએ કહ્યું કે, ઈશા ફાઉંડેશને આ વાતને લઈને એક સર્વે કરાવ્યો છે. જેમાં એવું તારણ સામે આવ્યું છે કે, જો સરકારે કૃષિ નીતિઓમાં ફેરફાર ન કર્યો તો, આગામી 25 વર્ષમાં ભારતમાં કોઈ ખેડૂત નહીં રહે.
શિક્ષણ મોડલને જવાબદાર ઠેરવ્યું
સદગુરૂએ તેના માટે હાલની ફરજિયાત શિક્ષણ પદ્ધતિને જવાબદાર ઠેરવી છે. જો કે, તેમણે બાલશ્રમનું સમર્થન કર્યું નથી, પણ કહ્યું કે, હાલની શિક્ષણ વ્યવસ્થા બાળકોને 18 વર્ષની ઉંમર સુધી સ્કૂલ જવા માટે મજબૂર કરી રહી છે. જ્યાં સુધી બાળશ્રમનો મુદ્દો છે, તો બાળકો ખેતરમાં કામ કરવા જઈ શકતા નથી. સદગુરૂએ કહ્યુ કે, તે બાળશ્રમના પક્ષમાં નથી, પણ તે ફરજિયાત શિક્ષણ પ્રક્રિયા વિરુદ્ધ છે. સદુગુરૂએ કહ્યું કે, આપણું શિક્ષણ મોડલ એવું હોવું જોઈએ, જેમાં આપણા દેશના મૂળ સિદ્ધાંત નષ્ટ ન થાય.
દેશમાં સૌથી મોટો ખતરો ગણાવ્યો
સદગુરૂએ કહ્યું કે, તેમની સંસ્થા ઈશા ફાઉંડેશન તરફથી ભવિષ્યમાં ભારતમાં કૃષિની સ્થિતિને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આધ્યાત્મકિ ગુરૂએ કહ્યું કે, આ સર્વેમાંથી ખબર પડે છે કે, ખેડૂતોની 63 ટકા વસ્તીમાંથી 2 ટકા પણ નથી ઈચ્છા કે તેમના દિકરાઓ ખેડૂત બને. સદગુરૂએ આને આ દેશમાં માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. સદગુરૂએ કહ્યું કે, આનાથી બચવા માટે કૃષિ ક્ષેત્રને આકર્ષક બનાવવું જોઈએ. ખેડૂતોની આવકમાં વધારો કરવો જોઈએ. સદગુુરૂએ કહ્યું કે, ખેડૂતોની આવક ડોક્ટર, એન્જીનિયર, વકીલ, પત્રકારની બરાબર હોવી જોઈએ. ત્યારે જ ખેડૂતો ખેતરમાં ટકી શકશે.