સત્તા એવી વસ્તુ છે કે જેનો સ્વાદ એક વખત ચાખ્યા બાદ રહી શકાતું નથી.રાજનીતિમાં આવ્યા બાદ માણસ હંમેશા સત્તાની લાલચમાં રચ્યો પચ્યો રહેતો હોય છે...અને તેથી જ તેને કોઈ પક્ષના નીતિ-નિયમો કે પછી આદર્શો લાગુ પડતા નથી. તેને જ્યાં ખુરશી દેખાય ત્યાં જતો રહે છે...બસ આવુ જ કંઈક વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પછી જોવા મળ્યું. 2014 બાદ 15 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપ સામેલ થયા. પરંતુ તેમાંથી કેટલાને ફાયદો થયો ?. તે જાણવા જેવું છે...જોઈએ આ અહેવાલ...