આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 18,795 નવા કેસ નોંધાયા છે અને 179 લોકોના મોત થયા છે. જોકે આ સમયગાળા દરમિયાન 26,030 લોકો પણ સ્વસ્થ થયા છે.
24 કલાકમાં કોરોનાના 18,795 કેસ મળ્યા
26,030 લોકોએ કોરોના હરાવી સાજા થઈને ઘરે પરત ફર્યા
એક્ટિવ કેસ આંક પણ 192 દિવસ બાદ આટલો ઓછો મળ્યો
201 દિવસ પછી દેશમાં પ્રથમ વખત આટલાં ઓછા કેસો જોવા મળ્યાં
કોરોના મહામારીને લઈને મંગળવારે મોટા રાહત સમાચાર આવ્યાં છે. લગભગ 201 દિવસ પછી,દેશમાં પ્રથમ વખત, કોરોનાના નવા કેસોની સંખ્યા 20 હજારથી નીચે પહોંચી જવા પામી છે. આ દરમિયાન કોરોનાને લઈને મૃત્યુની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયના અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 18,795 નવા કેસો નોધાય છે. અને 179 લોકોના મોત નીપજ્યાં છે. જો કે, આ સમયગાળા દરમિયાન 26,030 લોકો પણ સ્વસ્થય પણ થયાં છે. હાલ સમગ્ર દેશમાં કુલ 2,92,206 સક્રિય કોરોના દર્દીઓ છે. જે કુલ કેસોના માત્ર 0.87 ટકા છે. આ આંકડો પણ 192 દિવસ પછી સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
24 કલાકમાં કોરોનાના 18,795 કેસ મળ્યા
ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના 18,795 કેસ મળી રહ્યા છે. આ દરમિયાન 26,030 લોકો સાજા થયા છે.દેશમાં હાલ કુલ એક્ટિવ કેસ પણ ઘટીને 2, 99, 206 થઈ ગયા છે.આ આંકડા 192 દિવસ બાદ આટલો ઓછો મળ્યો છે.
ગમે ત્યારે આ આંકડામાં વધારો થઈ શકે છે
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે સતત ચોથા દિવસે 30 હજારની નીચે આવી છે. ગત અનેક દિવસોથી કોરોનાના દર્દીઓની સંખ્યા 30-40 હજારની વચ્ચે રેકોર્ડ કરવામાં આવી રહી છે. આ આંકડાને જોયા બાદ વિશેષજ્ઞોની ત્રીજી લહેરની ચેતવણી જારી કરી દીધી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ભલે તમામ કોરોનાની સ્થિતિ સુધરેલી જોવા મળી રહી હોય પરંતુ ગમે ત્યારે આ આંકડામાં વધારો થઈ શકે છે.
સૌથી વધારે અસરકારક કેરળમાં છે
કોરોનાથી સૌથી વધારે અસરકારક કેરળમાં શનિવારે 15, 951 નવા મામલા આવ્યા છે. ત્યારે 165 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો. હાલ માટે રાજ્યમાં સંક્રમણનો દર 0.94 ટકા છે અને મામલાના ગત અઠવાડિયાની સરખામણીમાં 5 ટકા ઓછો છે. જ્યારે હવે સ્થિત પહેલાની સરખામણીએ વધારે સારી છે. તેવામાં રાજ્ય સરકારે કેટલાક પ્રતિબંધોથી લોકોને મુક્ત કરવાનું શરુ કરી દીધું છે. આ સાથે જ સંક્રમણના કુલ મામલા વધીને 46, 29, 915 થઈ ગઈ અને મૃતકોની સંખ્યા 24, 603 પર પહોંચી ગઈ. એક સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું કે શનિવારથી 17, 658 લોકો સંક્રમણથી ઉભરી ચૂક્યા છે.
We have to win the fight against rabies by 2030. It should be a comprehensive effort of Health Ministry and Animal Husbandry Ministry, we should also include AYUSH Ministry. ICMR is working on reducing the cost of rabies vaccines: Union Health Minister Mansukh Mandaviya pic.twitter.com/5BYbJLVDU3
ICMR હડકવા રસીની કિંમત ઘટાડવા પર કામ કરી રહ્યું છે
કેન્દ્વીય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આપણે 2030 સુધી સમગ્ર દેશમાં હડકવા રોગ સામેની લડાઈ જીતવાની છે. આરોગ્ય મંત્રાલય અને પશુપાલન મંત્રાલય સાથે આયુષમંત્રાલય પણ આની ઉપર કામ કરી રહ્યું છે. આ સાથે આસીએમઆર હડકવાની રસીની કિંમત ઘટાડવા પર કામ કરી રહ્યું છે.