જ્યોતિષના જાણકાર કહે છે કે રાહુ-કેતુ હંમેશા મનુષ્યોને નુકસાન નથી પહોંચાડતા. આ વખતે રાહુની ચાલ ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે.
આજે રાહુ-કેતુનું ગોચર
આ ત્રણ રાશિને થશે ફાયદો
માલામાલ થશે ત્રણ રાશિના લોકો
રાહુ-કેતુ આજ સવારે લગભગ 10.35 વાગ્યે ક્રમશઃ મેષ અને તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. બન્ને ગ્રહ 18 વર્ષ બાદ આ રાશિઓમાં દાખલ થશે. રાહુ-કેતુ પાપ ગ્રહ છે. માટે તેમને મનુષ્યની દુર્ઘટના, સંકટ અને બર્બાદી સાથે જોડવામાં આવે છે. પરંતુ જ્યોતિષ અનુસાર રાહુ-કેતુ હંમેશા મનુષ્યોને નુકસાન નથી પહોંચાડતા. રાહુની આજ ચાલ આ વખતે ત્રણ રાશિઓ માટે ખૂબ શુભ માનવામાં આવી રહી છે. આવો જાણીએ જ્યોતિષિઓએ કઈ ત્રણ રાશિઓનો ઉલ્લેખ કર્યો છે.
મિથુન
રાહુ વૃષભથી મેષ રાશિમાં ગોચર કરશે. રાહુનું આ ગોચર મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે સારી રહેશે. નોકરી-વ્યાપારમાં લાભ અને ધન પ્રાપ્તિનો યોગ બનશે. આવકના સાધન વધશે. યાત્રાઓ ફળદાયી રહેશે. કાર્યસ્થળ પર પ્રશંસા વધશે. ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળવાથી સફળતા વધશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે.
કન્યા
રાહુનું આ ગોચર કન્યા રાશિના જાતકો માટે પણ લકી માનવામાં આવી રહ્યું છે. આર્થિક મોરચા પર ખૂબ લાભ થશે. આવકના સ્ત્રોત વધશે. વિદેશ યાત્રાના સપના સાકાર થશે. વ્યાપારમાં સારા અવસર પ્રાપ્ત થશે. રોગોથી મુક્તિ મળશે. જીવનસાથી સાથે સારા ક્ષણ પસાર કરવાનો મોકો મળશે. શિક્ષા અને રોજગારના મામલામાં બાળકોમાં પરિણામ સારા રહેશે.
વૃશ્ચિક
રાહુ ગોચર વૃશ્ચિક રાશિના લોકોને પણ નુકસાનની જગ્યા પર ફાયદો પહોંચાડશે. આવક અને પદોન્નતિના પ્રબળ યોગ બનશે. દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર છવિમાં સુધાર થશે. જો જાતક લાંબા સમયથી નોકરીની તલાશમાં છે તો તેમના માટે સારો સમય છે. કોઈ કાર્યમાં મોટી ઉપલબ્ધિ હાસિલ થઈ શકે છે. ભાગ્યોદય થશે અને કિસ્મતને તમારો પુરતો સાથ મળશે.